________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| ફર્મના વિપાકની સઝાયો |
(૧૨૪ કર્મ વિડંબનાની સઝાય) સુખ દુઃખ સરજ્યા પામીએ રે, આપદ સંપદ હોય; લીલા દેખી પરતણી રે, રોષ મ ધરજે કોચ રે; પ્રાણી ! મન ન આણો વિખવાદ, એતો કર્મ તણો પ્રસાદ રે. પ્રા. ૧ ફળને આહારે જીવીયા રે, બાર વરસ વન રામ; સીતા રાવણ લઈ ગયો રે, કર્મ તણા એ ફામ રે. પ્રા. ૨ નીર પાખે વન એકલો રે, મરણ પામ્યો મુકુંદ નીચ તણે ઘર જળ વહ્યો રે, શીર ધરી હરિશ્ચંદ્ર રે. પ્રા. ૩ નળે દમયંતી પરહરી રે, રાત્રિ સમય વનમાંય; નામ- ઠામ - ફૂળ ગોપવી રે, નળે નિરવાહો કાળ રે. પ્રા. ૪ રૂપ અધિક જગ જાણીએ રે, ચક્રી સનત કુમાર; વરસ સાતશે ભોગવી રે, વેદના સાત પ્રકાર રે. પ્રા. ૫ રૂપે વળી સૂર સારીખા રે, પાંડવ પાંચ વિચાર; તે વનવાસે રડવડ્યા રે, પામ્યા દુઃખ અપાર રે. પ્રા. ૬ સુરનર જસ સેવા કરે રે, ત્રિભુવન પતિ વિખ્યાત; તે પણ કમેં વિટંબીચા રે, તો માણસ કઈ માત રે. પ્રા. ૦ દોષ ન દીજે કેહને રે, કર્મ વિડંબણહાર; દાન મુનિ કહે જીવને રે, ધર્મ સદા સુખકાર રે. પ્રા. ૮
(૧૨૫ આઠ કર્મની સઝાયો
(રાગ - દ્વારાપુરીનો નેમ રાજીયો...) પ્રભુજી મારા કર્મો લાગ્યાં છે મારા કડલે; ઘડીએ ઘડીએ આતમરામ મંઝાય રે, પ્રભુજી મારા... ૧
For Private And Personal Use Only