________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૩૨
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાળેલી મુઠીએ આવ્યા, નથી સાથે કશું લાવ્યા, ઘરા ધન ધામને મેલી, સ્મશાને સૌ સમાવાના. ૨ સુખેથી શું હજી સૂતાં, ખરેખર ખાણમાં ખૂંતા, સમય વીત્યા પછી પ્યારા, કુશળ ક્યાંથી કમાવાના. ૩ રહોને સર્વદા સંપી, જગત ઝંઝાળમાં જંપી, મમત્વે મોહ થવાથી, વિના મોતે મરાવાના. ૪ તમારૂં શું તમે લેખો, કરી ઝીણી નજરે દેખો, ધરા ધન ધામને કામે, નથી નિશ્ચે ધરાવાના. ૫ ભમાઈ ભૂલ કીધાથી, વિષયની વાત લીધાથી, પરાયા પાપને યોગે, ભવે ભાંઠે ભરાવાના. ૬
ખબર પડતી નથી એ તો, નથી ગુણ દોષની ગણત્રી, ચડેલા કાળની કાંટે, ચડી ચૌટે ચડાવાના. ૭
સદા સત્સંગને સાધી, શુભવિજય વાતને બાંધી, કૃપા ગુરુદેવની થાતા, નથી દુઃખે દબાવાના. ૮
૯૦ વૈરાગ્યની સઝાય
ખબર નહીં આ જગમેં પલકી, સુકૃત કરનાં હોય સો કરલે, કોણ જાણે કલકી; યા દોસ્તી હે જગત વાસકી, કાયા મંડલકી, સાસ ઉસાસ સમર લે સાહિબ, આયુ ઘટે પલકી. ખબર૦ ૧
તારા મંડલ રવિ ચંદ્રમાં, સબ હે ચલને કી, દિવસ ચારકા ચમત્કાર જ્યું, વીજલી આભલકી. ખબર૦ ૨
કુડ કપટ કર માયા જોડી, કરી બાંતાં છલકી, પાપકી પોટલી બાંધી શીર પર, કૈસે હોય હલકી. ખબર ૦ ૩
For Private And Personal Use Only