________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીર વાંદી જિનવાણી સુણીને, આવ્યા ઘર ઉલ્લાસે, અનુમતિ આપો માતા મુજને દીક્ષા લેઉ પ્રભુ પાસે. આધા...૧૨ શ્રી દેવી કહે સુણ નાનડિયા, સંયમની શી વાતો ? શું જાણે તું બાળપણામાં, આગમના અવદાતો. ? આધા....૧૩ વિનય કરીને માત પિતાને, કહે કુમાર કુળભાનુ, જે જાણું તે હું નવિ જાણુ, નવિ જાણું તે જાણુ. આધા...૧૪ એકદિવસનું રાજ્ય કરીને, માય મનોરથ પૂરે, સંચમ લીધો વીર જિન પાસે દુર્ગતિ કરવા દૂર. આધા...૧૫
વિર સાથે જીંડીલે પહોત્યાં, નીર વહેતો દીઠો. પાળ બાંધીને પડઘો હેલ્યો, કૌતુક લાગ્યો મીઠો. આધા...૧૬
ન્હાનું સરોવર ન્હાનું ભાજન, નાવ કર્યું અઇમુત્ત, રઢિયાળી રમત દેખીને બાળક્રીડા કરી રમતે. આધા...૧૦ મધુર વચને મુનિવર બોલ્યા, નાવ તરતી જોઈ, રમતા દેખી પ્રષિવર બોલે, હિંસા જીવની હોઈ. આધા...૧૮ બોલાવી કહે મુનિ બાળકને, એ આપણ નવિ કીજે, છકાય જીવ વિરાધના કરતાં, દુર્ગતિના ફળ લીજે. આધા...૧૯ લાજ ઘણી મનમાંહે ઉપની સમવસરણ બિચ આયા, ઇરિયાવહીને તિહાં પડિક્કમતા, ધ્યાન શુક્લ મન ધ્યાયા. આધા...૨૦ સ્થવિર જઇ ભગવંતને પૂછે, ભવ કેટલા હવે કરશે ? ચરમ શરીરી છે અઇમુત્તો, ઇણ ભવ મુગતિ વરશે. આધા... ૨૧ પંચ આચાર શુદ્ધ મન પાળી, અંગ અગીઆર મુખ કીધા, ગુણરત્ન સંવચ્છર તપકીધો, અંતગડ કેવળી સિધ્યા. આધા...૨૨ અંતગડ ભગવતી સૂત્ર મળે, એહ કહ્યો અધિકાર, રત્નસાગર કહે એહ મુનિ વંદુ, અઇમુનો અણગાર. આધા..૨૩
For Private And Personal Use Only