________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
$*$*$*$*$**$*$*$. • ૫૦૧
એ ચૂડો સદાકાળ છાજે રે, વીર. મારા માથે વીર ધણી ગાજે રે; વીર મને આપી જ્ઞાનની હેલી રે વીર. પહેલા થયા ચંદનબાળા ચેલી રે. ૩
એને ઓઘો મુહપત્તિ આલ્યા રે વીર. તિહાં મહાવીર વિચરતાં આવ્યા રે; મને આપી જ્ઞાનની હેલી રે, વીર. બીજા થયાં મૃગાવતી ચેલી રે. ૪ તિહાં દેશના અમૃત ધારા રે, વીર ભવિ જીવનો કીધો ઉપકાર રે; વીર. ચંદ્ર સૂર્ય મૂળ વિમાને આવ્યા રે વીર. ચંદનબાળા ઉપાપયે આવ્યા રે. ૫
ચંદ્ર સૂર્ય સ્વસ્થાને જાય રે વીર. મૃગાવતી ઉપાશ્રયે આવ્યા રે; વીર. ગુરુણીજી બાર ઉઘાડો રે વીર. ગુરુણીએ કીધો તાડો રે. ૬
ગુરુણીને ખમાવવા લાગ્યા રે,વીર.કેવળ પામ્યા ને કર્મ ભાગ્યા રે; એણે આવતાં સર્પને દીઠો રે, વીર. ગુરુણીજીનો હાથ ઊંચો લીધો રે. છ
ગુરુણીજી ઝબકીને જાગ્યારે, વીર. સાધ્વીને પૂછવા લાગ્યા રે; વીર. તને એ શું કેવળ થાય રે, વીર. ગુરુણીજી તમારે પસાય રે. ૮
ચંદનબાળા ચેલીને ખમાવ્યા રે,વીર. તિહાં ખામતાં તે કેવળ પામ્યા રે; વીર. ગુરુણીને ચેલી મોક્ષ પાયા રે, વીર. તેમ પદ્મવિજય ગુણ ગાયા રે. ૯ ૬૬ શ્રી અંજનાસતીની સઝાય
અંજના વાત કરે છે મારી સખી રે, મને મેલી ગયા છે મારા પતિ રે; અંતે રંગમહેલમાં મેલી રોતી, સાહેલી મોરી કર્મે મળ્યો વનવાસ, સાહેલી મોરી પુણ્ય યોગે તુમ પાસ. સાહેલી ૧ લશ્કર ચઢતા મેં શુકન જ દીધાં, તે તો નાથે મારે નવિ લીધા; ઢીંકા પાટુ પોતે મને દીધાં.સાહેલી૦ ૨
સખી ચકવાનો સુણી પોકાર, રાતે આવ્યા પવનજી દરબાર; બાર વર્ષે લીધી છે સંભાળ. સાહેલી૦ ૩
સખી કલંક ચઢાવ્યું મારે માથે, મારી સાસુએ રાખી નહિ પાસે;
મારા સસરાએ મેલી વનવાસે.સાહેલી૦ ૪
*****
For Private And Personal Use Only