________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચસે સખીઓ દીઘી હારા બાપે, તેમાં નથી એક મારી પાસે;
એક વસંતબાળા મારી સાથે.સાહેલી ૫ કાળો ચાંદલો રાખડી કાળી, રથ મેલ્યો છે વન મોઝારી;
હવે સહાય કરો દેવ મારી.સાહેલી ૬ મારી માતાએ લીધી નહિ સાર, મારા પિતાએ કાઢી ઘર બાર;
સખી ન મલ્યો પાણીનો પાનાર.સાહેલી છે મને વાત ન પૂછી મારા વીરે, મહારા મનમાં રહેતી નથી ધીરે;
મારા અંગે ફાટી ગયા ચીરે સાહેલી ૮ મને દિશા લાગે છે કાળી, મહારી છાતી જાય છે ફાટી;
અંતે અંધારી અટવીમાં કર્મે નાંખી. સાહેલી ૯ મારું જમણું ફરકે છે અંગ, નથી બેઠી હું કોઈની સંગ;
આ તે રંગમાં શ્યો પડ્યો ભંગ.સાહેલી. ૧૦ સખી ધાવતાં છોડાવ્યા હશે બાળ, નહિતર કાપી હશે કુંપળ ડાળ;
તેના કર્મે પામી ખોટી આળ. સાહેલી ૧૧ વનમાં ભમતાં દીઠાં મુનિ આજ, પૂરવ ભવની પૂછે છે વાત
જીવે શ્યારે કર્યા હશે પાપ ? સાહેલી. ૧૨ બેની હસતાં રજોહરણ તુમે લીધાં, મુનિરાજને દુઃખ બહું દીધા
તેના કર્મે વનવાસ તમે લીધા.સાહેલી. ૧૩ પૂર્વે હતો શોક્યનો બાળ, દેખી મનમાં ઉછળતી ઝાળ;
તેના કરમે જયા વનમાં ઝાડ. સાહેલી ૧૪ સખી વનમાં જન્મ્યો છે બાળ, ક્યારે ઉતરશે મારી આળ;
ઓચ્છવ કરશું માને મોસાળ. સાહેલી. ૧૫ વનમાં ભમતાં મુનિ દીઠા આજ, અમને ધર્મ બતાવો ગુરુરાજ;
ક્યારે સરશે અમારા કાજ. સાહેલી. ૧૬
For Private And Personal Use Only