________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪ શ્રી કૃષ્ણ વાસુદેવની સઝાયો
દુહા અરિહંત પદ પંકજ નમી, કર્મ તણી ગતિ જેહ; વરણવશું ભલી રીતથી, સુણજો ભવિ સસનેહ. ૧ કર્મે સુખ દુઃખ પામીયે, કર્મે ભવ જંજાળ; કર્મ સકલ દૂરે ટળે, વરીએ શિવ વરમાળ. ૨ દાધિ નગરી દ્વારિકા, નાઠાં હલી મોરાર; વનમાં વસતાં દુઃખ સહ્યાં, ભાખું તે અધિકાર. ૩
(ઢાળ ૧ લી)
(પ્રભુ તુજ શાસન મીઠડું રે-એ દેશી) ગ્રીષ્મ કાલના જોરથી રે, લાગી તરસ અપાર;
કૃષ્ણ કહે બળભદ્રને રે, ખોળી આણો તુમે વાર રે, સુકે તાળવું આ વાર રે; નહિં ચાલી શકાય લગાર રે, - બળભદ્ર કહે તેણી વાર રે, કર્મતણી ગતિ એહવી મેરે લાલ. ૧ લઈ આવશું પાણી અમે રે, તમે રહેજો સાવધાન;
એમ કહીને ચાલીચા, જોવે પાણીના તે ચાન રે, હરિ સુતા તેહિ જ રાન રે, આવી નિદ્રા અસમાન રે,
એક પિતાંબર પરિઘાન રે, કર્મતણી ગતિ એહવી મેરે લાલ. ૨ બળભદ્ર બોલે એમ વળી રે. ઉંચું વદન નિહાળ;
બાંધવની રક્ષા કરો રે, વનદેવી તુમે રખવાળ રે, તુમ શરણે છે એ બાળ રે, તેને જાળવજો સંભાળ રે,
હું આવું છું તત્કાળ રે, કર્મતણી ગતિ એહવી મેરે લાલ. ૩ હલી તો પાણી લેવા ગયા રે, આવ્યો જરાકુમાર;
ભાવિભાવ ના ચોગથી, રહો વૃક્ષાંતર અવિકાર રે, હરિ પાદને મૃગલો ધાર રે, બાણ મુક્યું આકર્ષી ચાર રે;
વિંધાણો પાદ મોરાર રે, કર્મતણી ગતિ એહવી મેરે લાલ. ૪
For Private And Personal Use Only