________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
++++++++++++++1578
હાથે ન ધરે હથીયાર, નહિ જપમાળાનો પ્રચાર રે; ઉત્સંગે ન ધરે વામા, તેહથી નિપજે સવિ કામા રે. મન૦ ૩
ન કરે ગીત નૃત્યના ચાળા, એ તો પ્રત્યક્ષ નટના ખ્યાલા રે; ન વજાવે આપે વાજાં, ન ધરે વસ્ત્ર જીરણ સાજાં રે. મન૦ ૪
ઇમ મૂરતિ તુજ નિરૂપાધિ, વીતરાગ પણે કરી સાધી રે; કહે માનવિય ઉવજ્ઝાયા, મેં અવલંબ્યા તુજ પાયા રે. મન૦ ૫
(૨૯
ચિત્ત સમરી શારદ માય રે, વળી પ્રણમું નિજ ગુરુ પાય રે; ગાઉ ત્રેવીશમા જિનરાય રે, વ્હાલાજીનું જન્મ કલ્યાણક ગાઉં રે, સોનારૂપાને ફૂલડે વધાવું રે, થાળ ભરી ભરી મોતીડે વધાવું રે.વ્હાલા૦ ૧ કાશીદેશ વાણારસી રાજે રે, અશ્વસેન છત્રપતિ છાજે રે; રાણી વામા ગૃહિણી સુરાજે રે. વ્હાલા૦ ૨ ચૈત્રવદિ ચોથે તે ચવિયા રે, માતા વામા કૂખે અવતરીયા રે; અજુઆળ્યાં એહનાં પરિયાં રે. વ્હાલા૦ ૩ પોષ વદિ દશમી જગભાણ રે હોવે પ્રભુનું જન્મ કલ્યાણ રે; વીશસ્થાનક સુકૃત કમાણ રે. વ્હાલા ૪ નારકી નરકે સુખ પાવે રે, અંતર્મુહૂર્ત દુઃખજાવે રે; એ તો જન્મકલ્યાણ કહાવે રે. વ્હાલા ૫
પ્રભુ ત્રણ ભુવન શિરતાજ રે, તુમે તારણ તરણ જહાજ રે; કહે દીપવિજય કવિરાજ રે, વ્હાલા ૬
30
(રાગ - શ્રી ચિંતામણી પાર્શ્વજી)
જિનરાજ નમો જિનરાજ નમો, અહોનિશ પ્રભુ ભાવે ચિત્ત રમો દુઃખ દોહગ દુરિત મિથ્યાત્વ ગમો, ચઉગતિ ભવ વનમાં જિમ ન ભમો... ૧
For Private And Personal Use Only