________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
********* ૨૦૩
નાગ નિકાલા કાષ્ટ ચિરાકર, નાગકું કિયો સુરપતિ એક છીનમેં, કોયલ૦ ૩ સંયમ લઇ પ્રભુ વિચરવા લાગ્યા, સંયમે ભીંજ ગયો એક રંગમે, કોયલ૦ ૪ સમેતશિખર પ્રભુ મોક્ષે સિધાવ્યા, પાર્શ્વજીકો મહિમા ત્રણ ભુવનમેં, કોયલ૦ ૫ ઉદયરતનકી એહી અરજ હૈ, દિલ અટક્યો તોરા ચરણ કમલમેં. કોયલ૦ ૬
૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારા નયનાં રે પ્યાલા પ્રેમનાં ભર્યા છે,દયારસનાં ભર્યા છે,
અમી છાંટનાં ભર્યા છે........ તારા૦ ૧ જે કોઈ તારી નજરે ચઢી આવે,કારજ તેના તેં સફલ કર્યા છે.તારા૦ ૩ પ્રગટ થઈ પાતાળથી પ્રભુ તેં, જાદવના દુઃખો દૂર કર્યા છે. તારા૦ ૩ પન્નગપતિ પાવકથી ઉગાર્યો, જન્મ-મરણ ભય તેહનાં હર્યાં છે. તારા૦ ૪ પતિત પાવન શરણાગત તુંહી, દરિશન દીઠે મારા ચિત્તડાં ઠર્યાં છે. તારા૦ ૫ શ્રી શંખેશ્વર પાર્શ્વ જિનેશ્વર, તુજ પદ પંકજ આજથી ધર્યા છે. તારા૦ ૬ જે કોઈ તુજને ધ્યાને ધ્યાવે, અમૃત સુખ તેને રંગથી વર્યાં છે.તારા૦ ૭
(૫)
રાતા (રાધા) જેવા ફૂલડાં ને, શામળ જેવો રંગ;
આજ તારી આંગીનો કાંઈ, રૂડો બન્યો છે રંગ,
પ્યારા પાસજી હો લાલ ! દીનદયાળ મુને નયણે નિહાલ. ૧.
જોગીવાડે જાગતો ને, માતો ધિંગડમલ્લ; શામળો સોહામણો કાંઈ, જીત્યા આઠે મલ્લ. પ્યારા૦ ૨.
તું છે મારો સાહિબો ને, હું છું તારો દાસ; આશા પૂરો દાસની કાંઈ સાંભળી અરદાસ. પ્યારા૦ ૩.
દેવ સઘળા દીઠાં તેમાં, એક તું અવલ્લ; લાખેણું છે લટકું તાહરૂં, દેખી રીઝે દિલ્લ. પ્યારા૦ ૪.
કોઈ નમે પીરને ને, કોઈ નમે રામ; ઉદયરત્ન કહે પ્રભુ, મારે તુમશું કામ, પ્યારા૦ ૫
***************+*/
For Private And Personal Use Only