________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિરાગીશું રે કિમ મીલે, પણ મળવાનો એકાંત; વાચકચાશ કહે મુજ મિલ્યો, ભક્તિ કામણ તંત. શ્રી૫
(રાગ શાંતિજીનેશ્વર સાહિબા રે) શ્રી શ્રેયાંસ જિનવર સાંભળો, એક મોરી અરદાસ, ઇણ ભવે જગમાં કો દીઠો નહિ, તુમ સમ લીલ વિલાસ. ૧ તું નિરાગી રાગ ધરે નહિ, મુજ મન રાગ અભંગ, સંગ મળે જો બેહનો એકઠો, તો મન ઉપજે રંગ. ૨ સંદેશો પણ પરઠ સુણાવવા, ન મળે વચ્ચે દલાલ, અંતરજામી જઈ અળગા રહ્યા, મિલવાનો જંજાલ. ૩ કાલાવાલા નિત્ય પ્રભુ આગળે, કરતાં જાણશો આપ, જે પોતાનો કરીને થાપશો, મટશે સર્વ સંતાપ. ૪ વિમલ મને વરસીદાન દીજતા, પાંતી ન પડે ભાગ, તુજ દોલતથી હવે પામશું, મીઠી સુખની જાગ. ૫
( શ્રી વાસુપૂજ્ય જિન સ્તવનો-પ
સ્વામી તુમે કાંઈ કામણ કીધું, ચિત્તડું અમારું ચોરી લીધું સાહિબા વાસુપુજ્ય જિગંદા, મોહના વાસુપૂજ્ય જિગંદા; અમે પણ તુમશું કામણ કરશું, ભક્તિ ગ્રહી મન ઘરમાં ઘરશું. સા. ૧ મન ઘરમાં ધરીયા ઘરશોભા, દેખત નિત્ય રહેશો ચિર થોભા; મન વૈકુંઠ અકુંઠીત ભક્ત, યોગી ભાખે અનુભવ યુક્ત. સા. ૨ ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર; જો વિશુદ્ધ મન ઘર તમે આવ્યા તો પ્રભુ અમે નવનિધિ રિદ્ધિ પામ્યા. સા. ૩ સાત રાજ અલગા જઇ બેઠા, પણ ભગતે અમ મનમાં પેઠા, અલગાને વલગ્યા જે રહેવું, તે ભાણા ખડખડ દુઃખ સહેવું. સા. ૪
For Private And Personal Use Only