________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
****************** ૧૯૧
(૧૦
(રાગ-અંતરજામી સુણ અલવેસર)
હું તો પાયો પ્રભુના પાય રે, આણ ન લોડું રે, હું તો સાંભળી તારા વેણ કે કાનમાં રોપું રે, જન્મમરણના ફેરા ફરતાં, મેં તો ધ્યાયા ન દેવાધિદેવા, કુગુરૂ કુશાસ્ત્ર તણા ઉપદેશે, લાધી નહીં પ્રભુસેવા. ૧ કનક-કથીરનો ભેદ ન જાણ્યો, મેં તો કાચ મણિ સમ તોલ્યા, વિવેકતણી મેં વાત ન જાણી, વિષ અમૃત કરી ઘોલ્યા. ૨ સમકિતનો લવલેશ ન સમજ્યો, હું તો મિથ્યામતમાં ખૂંચ્યો, પાપ તણે પંથે પરિવરિયો, વિષયે કરી વિગુત્તો. ૩ કોઈક પૂરવ પુન્ય સંયોગે, આરજ કુળે અવતરીયો, આદીશ્વર સાહિબ મુજ મલીયો, તારક ભવજલ તરીયો. ૪ આટલા દિન મેં વાત ન જાણી,તુજથી રહીયો અલગો, ઉદયરત્ન કહે આજ થકી હું તો, તારે પાયે વળગ્યો. ૫
૧૧
નીલુડીરાયણ શીતલ છાયા, ૠષભ જિણંદ સમોસર્યા રે, ભરત ચક્રવર્તી વંદન આવ્યા સંશય તાતને પૂછીયા રે. ૧
કહો તાતજી શા પુણ્ય તીર્થંકર થયા, શા પુણ્યે અમે ચક્રવર્તી રે, શા પુણ્યે બાહુબલી રાણા થયા, શા પુન્યે માતાજી મરૂદેવા રે. ૨
શા પુણ્યે બ્રાહ્મી સુંદરી થયા, શા પુણ્યે સુંદરી શિવવર્યા રે, ૠષભ કહે સુણો ભરતજી રાય, પૂર્વભવની કહું વાતડી રે. ૩ દાન સુપાત્ર અમે વહોરાવીયા, તે પુણ્યે અમે તીર્થંકર રે, પાંચસો મુનિને ભાત પાણી વહોરાવ્યાં, તે પુણ્યે તમે ચક્રવર્તી રે. ૪
For Private And Personal Use Only