SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ૧૦૮૧ આથી તે પક્ષાઘાત, શિરોગૃહ, અર્દિત વગેરે મહાન વાયુને મટાડે છે. એ ગોળી ૨૧ દિવસ ખવડાવ્યા પછી બંધ કરવી. ઘી-દૂધવાળો ખેરાક ચાલુ રાખો. જે જરૂર જણાય તે બીજા પંદર દિવસ ગયા પછી મલ્લસિંદૂર ગુટિકા ખવડાવવી. ૪૯. લાહી ચુર્ણ-કસ્તુરી ગુટિકા-તજ, તમાલપત્ર, બીલીને ગર, સુંઠમરી, પીપર, હરડાં, બહેડાં, આમળાં, અજમેદ, વરિયાળી, વાયવડિંગ, હળદર, ચિત્રામૂળ, જીરું, લવિંગ, ધાણા, ગજપીપર, જેઠીમધ, પાંચે પાંચ ક્ષાર, શેકેલી હિંગ, કાચકોની મીજ, મચરસ, સાજીખાર અને જવખાર એ સર્વે સમભાગે લઈને તેથી ચારગણી ભાગ મેળવીને ચૂર્ણ કરવાનું લોહી ચૂર્ણને પાઠમાં નિઘંટુ રત્નાકરના સંગ્રહણના અધિકારમાં લખેલું છે. પણ તેમાંથી પારે, ગંધક અને ભાંગ અમે કાઢી નાખી, વાંસકપૂર તેલા ૪, એલચી તેલા ૨, કસ્તૂરી વાલ, સોનાના વરખ વાલ ૪, ચાંદીના વરખ તેલ ૧ અને કેશર તેલ ૧ મેળવીને પાનના રસમાં એની વટાણા જેવડી ગળી વાળી દિવસમાં ત્રણ વાર બબ્બે ગોળી પાણી -સાથે આપી, છાશનું સેવન કરવાથી એ ગાળી સંગ્રહણી, અતિસાર તથા સુવાવડના રોગને મટાડે છે. ૫૦. મેધાવી ગુટિકા-ઘેડાવજનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી તેમાં મધ મેળવી, વટાણા જેવડી ગોળી વાળી દિવસમાં બે વખત, ત્રણ ત્રણ ગોળી પાણી સાથે ગળાવી, ઉપરથી અરણીને રસ તોલા ચાર પાવાથી જે માણસને ઉમાદ રોગ થયો હોય તેને ઘણે ફાયદે કરે છે. તરતના ગાંડા માણસ સારા થાય છે. ૫૧. આમલીનો સ્વરસ–પાકી આમલી મીઠા વગરની શેર બે લઈ, તેને બે મણ પાણીમાં ઉકાળવી. ઉકાળતાં જ્યારે ત્રણ શેર એટલે બે બાટલી પાણી બાકી રહે ત્યારે કપડે ગાળી, બાટલી ભરી તેમાંથી બળે તેલા દિવસમાં ત્રણ વાર પીવાથી ઉન્માદને For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy