SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરચુરણ રેનો ઉપા અફીણ ૧ રૂા. ભાર વાટીને શીશીમાં ભરી મૂકવું. પછી જેને વીંછી કરડયો હોય તેને દેવતા ઉપર ભૂકો નાખી ધુમાડે આપ, એટલે વીંછીનું ઝેર ડંખમાંથી નીકળી જશે. આ દવા અમારી ખાસ અજમાવેલી છે. –વે બાળાશંકર પ્રભાશંકર-નાંદોદ જેને વીંછી કરડ્યો હોય તેને સાડાત્રણ પાન બોરડીનાં અને સાડાત્રણ પાન લીમડાનાં વગરબેલ્ટે તેડી લાવી હાથમાં મસળી હાથ ખુલ્લે કરી બતાવીને પૂછવું કે, આ શું છે? એટલે તે કહેશે કે, ઓસડ. પાછ હાથ બંધ કરી પેલાં પાન મસળી દરદીને બતા. વી–આ શું છે? એમ પૂછી હાથ બંધ કરે. એ પ્રમાણે તેનાં તે પાન મસળવાં અને બતાવવાં. અગિયાર વખત એ પ્રમાણે કરવાથી વીંછી ઊતરી જશે. પછી એ જ પાલે ડંખ ઉપર બાંધી દે. –સાધુ ગંગાદાસ સેવાદાસ-સુરત ૧. દાહરોગ માટે ચંદનાદિ ચૂર્ણ -સારી સુખડ, અગર, તગર, વાંસકપૂર, વાળે અને સાકર એ સર્વ સમભાગે લઈ ચૂર્ણ કરી આપવાથી દાહગ મટે છે. ૨. ઘીને એકસો પાણીથી ધોઈ ચોપડવાથી દાહ મટે છે. ૩. ધાણા અને દ્રાક્ષ પલાળી પીવાથી દાહ તથા તૃષા મટે છે. ૪. ગળજીભીને રસ એકથી બે તોલા સાકર સાથે પીવાથી દાહ મટે છે. ૫. શંખને પાણીમાં ઘસી વારંવાર પાવાથી દાહ તથા તૃષા મટે છે. ૬. લીમડાની અંતરછાલ અથવા કુંપળે પાણીમાં વાટી હાથે ફીણ ફીણ ચેપડવાથી દાહ મટે છે. ૭. બોરડીનાં લીલાં પાન લીંબુના રસમાં વાટી ચેપડવાથી દાહ શાન્ત થાય છે. ૮. ઉન્માદ માટે બ્રાહ્મી, કેળું, વજ અને શંખાવળી, For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy