SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધાતુ, ઉપધાતુ, શિધન ને મારણ ૯૮૭ - - - - - - - - - - - - - - સૂચના –મેતી જે વધેલાં હોય તો તેના વેહમાંથી વધારા ની સેય ભાંગી ગયેલી કોઈ કોઈ વાર નીકળે છે. અને તે જે હોય તે નુકસાન કરે છે. માટે અધખરાં ખાંડ્યા પછી તે તપાસી જેવું અને જો તેમાં સોયની ભાંગી ગયેલી કકડી માલુમ પડે તે તેમાંથી કાઢી લેવી. બનતાં લગી વીંધ્યા વગરનાંજ મતી લેવાં. મેતીની છીપની ભસ્મ પણ ઉપર મુજબની રીતિથી થશે. ૧૧. શંખભસ્મ-આખા શંખના કકડા કરવા. પછી તેને તાપમાં મૂકી ખૂબ ગરમ કરી બકરીના દૂધમાં છમકારવા. એવું આઠદસ વાર કરવું એટલે તેમાં ફાટ પડી ચિરાડા પડશે. પછી તે કટકાઓનું તોલ કરવું. તેના વજનથી ચેાથે ભાગે કાળીજીરીને ખાંડેલે ભૂકો લઈ, તેને માટીના સરાવળામાં પાથરી તેના પર પેલા શંખના કકડા ગોઠવવા. પછી તેના પર બીજો ભૂકો નાખી પાછા તેના પર બાકી રહેલા કકડા ઠવવા. તે ગોઠવાઈ રહ્યા પછી તેના પર બીજું સરાવણું ઢાંકી, તેના પર એક કપડમટ્ટી કરી, તેને બે ટેપલા છાણાંથી ફેંકી મૂકવું એટલે સફેદ ભસ્મ તૈયાર થશે. ૧૨. કલાઈભારણ –ધેલી અગર વગર શોધેલી કલાઈના ઝીણા ઝીણા કકડા કરી, એક ગુણપાટના કકડા પર મેંદીને વાટેલે પ્યાલો પાથરી, તેના ઉપર કલાઈના કકડા આંગળ દેઢ આંગળને છેટે ગોઠવવા. કલાઈ પર મેંદીને પાલો ને પાલા પર કલાઈ એમ ગોઠવ્યા કરવું. પહેલા અને છેલ્લા પડમાં પાલે વધારે રાખવે. એમ ગોઠવીને તેનું યુક્તિથી પિોટલું બાંધવું ને ઉપર દેરડીથી ખૂબ લપેટવું. બાદ તે પોટલું એક મેટા કલેડામાં ગોઠવી, તેને ગજપુટ અગ્નિ કાંઈક આછા આછા દે એટલે સફેદ ભસ્મ થશે. એને કપડમટ્ટી કરવાની નથી, માટે પિટલું એમ ને એમ કલેડામાં ગોઠવી દેવું. એજ રીત પ્રમાણે અજમામાં, ભાંગમાં અને સેક્ટાના પાલામાં પણ ભસ્મ થશે, For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy