SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૦૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે -- --- વેલું “ત્વકદોષનિરૂપણ” નામનું પુસ્તક વાંચવું. તેમાં તમામ વનસ્પતિઓનાં પાતરાં, છાલ, મૂળના લેપ, શેક, બફારા અને મલમપટ્ટાથીજ મોટાં મોટાં ભયંકર દર મટાડવાની ચિકિત્સા વિગતવાર લખવામાં આવેલી છે, તેમાં કોઈ પણ જાતની શસ્ત્રક્રિયા કરવાની જરૂર પડતી નથી. गलगंड, गंडमाळ, ग्रंथि, अर्बुद अने विद्रधि रोगना केटलाक अनुभवसिद्ध उपायो ૧-વૈદ્ય ધીરજરામ દલપતરામ-સુરત ૧. લેપર-આમળાં, સુખડ તથા રતાંજળી એ ત્રણે વસ્તુને ગુલાબજળમાં સરખે ભાગે ઘસીને તેમાં થોડે ભાગે ગુલેઅરમાની નાખી ચોપડવાથી ગલગંડ મટે છે. ૨. ચેલાઈની ભાજીને રસ કાઢી તેમાં મુલતાની માટી મેળવી ગરમ કરી ચોપડવાથી ગલગંડ મટે છે. ૩. મરીકંથારનું મૂળ, રતાંજળી અને લેધર સમભાગે ઘસી તેમાં થોડી રસવંતી નાખી ચોપડવાથી ગલગંડ મટે છે. ૪. પહાડમૂળ તાજુ લાવી તેને રસ કાઢી, તે રસમાં દારૂહળદર ઘસી ચોપડવાથી ગંડમાળ મટી જાય છે. જે પહાડમૂળ તાજું ન મળે તે તેના ઉકાળામાં દારૂહળદર ઘસીને ચોપડવી. ૫. નાઈકંદ નામને સફેદ રંગનો એક કંદ થાય છે, તેને ભાંગે ત્યારે અંદરથી પીળે નીકળે છે, તે લાવી તેને રસ તથા સોનાગે ચોપડવાથી ગંડમાળ વેરાઈ જાય છે. ૬. જે ગંડમાળ પાકી હોય તો ડુકકરની ચરબી તેલા ૮ અને સિંદૂર તેલા ૨, મેળવીને ધીમા તાપે પકાવવું. એકરસ થાય For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy