SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩ ગર્લોત્પત્તિ ને શરીરરચનાને ક્રમ તેમ વિર્યને પરિપકવ દશામાં આવતાં અને રજની શુદ્ધિ થતાં, મેહનઈ દિય સ્વાભાવિક રીતે ઉત્પત્તિક્રમમાં જોડાય છે. જે ક્ષેત્ર શુદ્ધ હોય અને બીજ પરિપકવ હોય તે વૃક્ષ બળવાન, રસદાર અને કદાવર ઉત્પન્ન થાય છે; પણ જે ક્ષેત્ર અશુદ્ધ હોય અને બીજ પરિપકવ થયેલું ન હોય તે વૃક્ષ સત્વહીન, નાજુક અને રસવિ. નાનું ઉત્પન્ન થાય છે. સૃષ્ટિકમના નિયમ પ્રમાણે બીજ અને ક્ષેત્ર એ બે મળવાથી વૃક્ષ ઉત્પન્ન થવું એ સ્વાભાવિક છે; પરંતુ ચારે ખાણના જ પિકી મનુષ્ય પ્રાણીને અંગશાન ઉપરાંત વસ્તુના ગુણધર્મ જાણવા માટે અને તે ધર્મ પ્રમાણે વર્તન રાખીને જગતની શોભામાં અને પિતાની સગવડમાં વધારો કરવા કર્માનુસારિણું બુદ્ધિ અને તમામ પ્રાણી માત્ર કરતાં સંપૂર્ણ સગવડવાળી દશ ઇધિઓ હોવાથી તેણે પિતાના ધર્મ પ્રમાણે ચાલવું જ જોઈએ. आहारनिद्रा भयमैथुनं च । सामान्यमेतत्पशुभिर्नराणाम् ॥ धर्मो हि तेषांमधिको विशेषा । धर्मेण हीनाः पशुभिः समानाः ॥ આહાર, નિંદ્રા, ભય અને મૈથુન મનુષ્ય અને પશુમાં એકસરખી રીતે પ્રવર્તે છે; પરંતુ મનુષ્યમાં વિશેષ કરીને ધમ એ વધારે છે. અહીંયાં ધર્મ એટલે વસ્તુના ગુણધર્મને જાણીને, તે પ્રમાણે વતીને, પાછું અર્ધગતિમાં ન જવાય એવું વર્તન, આ ધમ મનુષ્યમાત્રને ફરજિયાત લાગુ પડે છે.' હવે જેમ ખેડૂતે બીજની વાવણી કરવા માટે પ્રથમ ક્ષેત્રની શુદ્ધિ કરે છે અને ક્ષેત્રની શુદ્ધિ થઈ રહ્યા પછી જ બીજની વાવણી કરે છે, તેમ મનુષ્ય પણ સ્ત્રીરૂપી ક્ષેત્રની શુદ્ધિ થવા માટે તેના તત્ત્વથી પોષાવાને ભાગ પરિપૂર્ણ અવસ્થામાં આવવા દેવો. એ પરિપૂર્ણ અવસ્થામાં આવ્યા છે કે કેમ, તે જાણવા માટે વૈદ્ય કે ડોક્ટરની પરીક્ષાની જરૂર નથી, પરંતુ સ્ત્રીને જ્યારે રજ ઉત્પન્ન For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy