SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર શ્રી આયુર્વેદ નિબંધમાળા વહેલું મરણને આમંત્રણ કરવું તે મનુષ્યની પોતાની મરજી ઉપર છે. વર્તમાન કાળમાં પૂર્વની વિદ્યા કરતાં પશ્ચિમની વિદ્યાના વિદ્વાને લાંબું જીવન મેળવવા માટે ભગીરથ પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ તેઓ આત્મા, પરમાત્મા અને પ્રકૃતિને સંબંધ યથાર્થરૂપે નહિ જાણી શકેલા હોવાથી તેને ક્રમ ગોઠવી શકતા નથી. પરંતુ એ વિદ્યાને પૂર્વનાં શાસ્ત્રોમાંથી ગ્રહણ કરી વેદ, વેદાંગ, ઉપનિષદ અને શસ્ત્રોને સત્ય માની, તેમાં કહેલાં ગંભીર, ગૂઢ અને બારીક તનું વિચાર દ્વારા અવલંબન કરી, ચાર વર્ણ અને ચાર આશ્રમના ધર્મને જાણી, પિતાની ચર્ચાને ગોઠવે તે સંસારમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ ત્રિવિધ તાપથી જે સુખ દુઃખની અત્યંત નિવૃત્તિ મેળવી શકે અને જન્મમરણના ફેરાથી ટળી પિતાના જીવનનું સાર્થક કરે. ५-गोत्पत्ति ने शरीररचनाको क्रम આ સંસારને સૃષ્ટિકમ તપાસતાં આપણને સ્પષ્ટ રીતે સમજાય છે કે, પ્રાણી માત્રના ચારે વર્ગો જગતની ઉત્પત્તિમાં વૃદ્ધિ કરતા જાય છે, તથા કુદરતને કાયદે પણ એજ જણાય છે કે, પ્રાણીમાત્રે પિતાની જાતને વધારો કરે, એ તેને ફરજ પાડવામાં આવી હોય, એમ જણાય છે. મનુષ્યાદિ સર્વ પ્રાણુને સ્વાભાવિક અંગજ્ઞાનથી વધારે કામ કરવાને લાયક બનાવવા હોય, તે તેમને કેળવણી આપવાની જરૂર પડે છે, પરંતુ વંશવૃદ્ધિ કરવાનું કાર્ય અંગજ્ઞાનમાં ગણાઈ તેની સ્વાભાવિક પ્રેરણા થાય છે; તેથી વંશવૃદ્ધિના જ્ઞાનની કઈ પણ જગ્યાએ કેળવણી મળતી નથી. શરીરના બાહ્ય અને અત્યંતર અવયવો પરિપકવ દશાને પામી સર્વ ક્રિયે પિતા પોતાનું કામ પિતાપિતાની મેળે કરવા માંડે છે, For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy