SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ શ્રીઆયુર્વેદ નિમંધમાળા-ભાગ ૨ જો ૨. ફૂલકેસરી-સેમલનાં ફૂલ તેલે ॰ા, સાબરશિંગાની ભસ્મ તાલા ૫ એ એને મેળવી સેકટા (સરગવા)ના રસમાં છૂટી ટીકડી કરી સુકાવીને કેડિયાના સ...પુટમાં મૂકી કપડમટ્ટી કરી પંદર શેર છાણાંની આંચ આપવી. ઠંડુ થયા પછી કાઢીને વાટી શીશીમાં ભરી રાખવું. એની માત્રા ૧ ચેાખાપૂરથી ત્રણ ચેાખાપૂર સુધી આપવાની છે. સન્નિપાતવાળાને આદુના રસમાં, ત્રિ ષવાળાને તથા શ્વાસવાળાને આદુના રસ તથા મધ સાથે; શૂળ વાળાને મધ અથવા ઘી સાથે; ખાંસીવાળાને પાનની બીડી અથવા મલાઈ સાથે; નબળાઈવાળાને શીરા સાથે; આંતરિયા તાવવાળાને તુલસીનાં પાન તથા મરી સાથે; ધાતુ પાતળી પડેલાને મુગલાઈ ખેદાણાના લાખ સાથે સાકર મેળવીને; પ્રમેહુવાળાને ત્રિફલાના ક્વાથમાં હળદર તથા મધ સાથે, શક્તિ માટે ઘી, દૂધ તથા સાકર સાથે આપવી. ૩. સેમલનાં ફૂલ તથા સાબરશિ’ગાભસ્મ બનાવવાની રીતઃ-સામલ તાલા ૧ લઇને તેને કુંવારના રસમાં ઘૂંટવા. પછી સફેદ કાંદાના રસમાં ઘૂંટી લૂગદી જેવુ' થાય, એટલે એ સરાવળાં લઈ તેને ઘસી, માઢાં સરખાં કરવાં. પછી કપરુંથી લૂછી સાક્ કરીને તેમાં સામલને લેાં મૂકવા. બીજી સરાવળું ઉપર ઢાંકીને મુલતાની મટોડીના ત્રણ કપડમટ્ટે મજબૂત કરવાં, સુકાયા પછી તેને ચૂલે ચડાવીને ધીમા અગ્નિ કરવે. પાતળાં પાતળાં લાકડાં લઈ એક લાકડાના અગ્નિ આપવા. ઉપરના કલેડા પર દૂધનાં પેાતાં મૂકતા રહેવું, આ પ્રમાણે ૧ પહેાર સુધી કરવાથી ઉપલા ભાગમાં ફૂલ લાગી જશે, પછી ઠંડુ થયે આંખ ખચાવીને ખેાલવું યુક્તિથી ફૂલ કાઢી લેવાં. આ ફૂલ ઉપલી દવામાં નાખવાં, તેમ આ ફૂલ ૧ ચેાખાપૂરથી ૨ ચાખાપૂર શીરા સાથે અથવા મલાઈ સાથે આપવાથી શ્વાસ તથા નમળાઈ મટી બળવાન થાય છે. ખારાક ઘી-દૂધને સારા આપવે, For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy