SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષ-સિદ્ધાંત તેલે છે, મારી તોલે છે, સૂંઠ તાલે ૧, સિંધવ તેલે ૧, સંચળ તેલે છે એનું ચૂર્ણ કરવું તે મળાશકા ચુર્ણ કહેવાય છે, તે ગરમ પાણી સાથે પાવું. ૧૩-વૈદ્ય છગનલાલ લલુભાઈ–વડેદરા કાયફળ, કાકડાસિંગ, કાળીજીરી, અજમેદ, સૂંઠ, મરી, પીપર અને દિવેલાનાં મૂળ સમભાગે લઈ, ગંઠેડાના ઘસારા સાથે દેવાથી મૂંઝારો મટે છે, તાવ ઊતરી જાય છે અને ભાન આવે છે. ૧૪-વૈદ્ય ભૂરાભાઈ ઓધવજી ત્રિવેદી-ભાદરોડ વછનાગ, સૂંઠ અને મરી સમભાગે લઈ આદુના રસમાં, ધંતુરા ના રસમાં અને તુલસીના રસમાં એક એક પુટ દઈ ચણોઠી જેવડી ગોળી બનાવી આપવાથી સન્નિપાત ઉપર સારી અસર થાય છે. ૧૫-વૈદ્ય છગનલાલ આત્મારામ-સુરત ૧. અગ્નિકમાર-પાર, ગંધક, પીપર, કાળાં મરી, અને ટંકણ સર્વ સમભાગે લઈ પારા ગંધકની કાજળી કરી, પછી બીજું ચણ મેળવી સાત દિવસ સુધી ખલ કરી માત્રા તૈયાર કરવી. પછી એક થી ત્રણ ઘઉંભાર આદુના રસમાં તથા મધપીપરમાં આપવામાં આવે તે ભયંકર સન્નિપાત મટે છે. - ૨. ત્રિપુરભૈરવ રસ –સૂંઠ તેલા ૮, મરી તેના ૮, ટંકણ તેલા ૬, વછનાગ તેલા ૨ એને ખાંડી વસ્ત્રગાળ કરી, આદુના રાને પાંચ પુટ આપવા, લીંબુના રસના ત્રણ પુત્ર આપવા તથા પાનના રસના ૩ પુટ આપવા અને એક એક રતીની ગોળીઓ વાળવી. પછી આદુના રસમાં ગળી ૧ થી ૩ સુધી દિવસમાં ત્રણ વખત આપવી અથવા પાનના રસમાં આપવી. આ ગોળીથી ભયંકર સન્નિપાત સારા થાય છે. For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy