SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદાય-સિદ્ધાંત ૩૬૫ હાવા છતાં એક દિવસને આંતરે અથવા એ દિવસને આંતરે તાવ આવે છે, તેનુ કારણ શું? એનું સમાધાન એવું છે કે, નિવૃત્તિ પામેલા વિષમજવર પાછે નિયમિત દિવસે આવે છે, તેમાં તે દોષને સ્વભાવજ કારણરૂપ છે, એમ પડિતાએ કહ્યું છે. દોષાના સ્વભાવનુંજ કારણ હોવાને લીધે ઉપર કહેલાં સ્થાનકેાના વિભાગોની અપેક્ષા રાખ્યા વગર પણ એકાંતરિયા, ચેાથિયા અને વિષય ય આદિ બીજા વિષમજવરા પોતપોતાના સમયમાં પ્રકટ થાય છે. જેમ ખીજ પૃથ્વીમાં રહે છે અને તે બીજ સમય પ્રાપ્ત થતાં ઊગે છે; તેમ દ્વેષ ધાતુઓમાં રહે છે અને પેાતાનેા સમય પ્રાપ્ત થતાં પ્રકાપ પાસે છે. સુશ્રુતે પશુ કહ્યુ છે કે, એ વિષમજ્વર કદી પણુ દેહને મૂકતા નથી, કારણ કે વિષમજ્વરવાળા માણસ ગ્લાનિથી, ભારેપણાથી અને દુખળપણ થી મુક્ત થતા નથી. દોષને વેગ ટળી જાય, ત્યારે જ્વર થતા રહ્યો જણાય છે; પશુ તે જતા નહિ રહેતાં બીજી ધાતુઓમાં છુપાઇ જાય છે, કે જેથી સૂક્ષ્મપણાને લીધે પ્રત્યક્ષ માલૂમ પડતા નથી. એટલા માટે જવર, કાળ પામીને નિયમિત સમયે પેાતાના સ્વભાવથી પા। દેખાય છે. એકાંતરિયા તાવમાં કૅ અને પિત્તને અતિચેંગ થયા હાય તા ત્રિકમાં પીડા થાય છે, વાયુ અને કફના અતિયેાગ થયા હાય તે ખરડામાં પીડા થઈ તાવ આવે છે. અને જો વાયુ તથા પિત્તના અતિયેાગ થયા હાય, તે પ્રથમ મસ્તકમાં પીડા થાય છે. એવા એકાંતરિયા તાવ ત્રણ જાતના થાય છે. જે ત્રણે સ્થાનામાં તે દુઃખ કરે છે, તે ખરું જોતાં વાયુનાં સ્થાન છે. ત્યાં ગયેલે વાયુ, કના સ્થાનમાં અને કૅકૢ વાયુના સ્થાનમાં સ્થાનભ્રષ્ટ થવાથી, એટલે તેના મિથ્યાયેાગ થવાથી, દુબળ અને છે અને તેથી તેઓ ત્રીજે દિવસે તાવ લાવે છે. જો તેઓ પેાતાના સ્થાનમાં રહે, તેા તેના અતિયાગથી સતત આદિજવર ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે માથુ For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy