SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે થાય છે. પણ જે બે કલાક પછી એવો ટેલિગ્રામ આવે કે, “જે પુત્રને મરણ પામેલે ધારતા હતા તે પુત્ર પિતાના મિત્રો સાથે ફલાણ ગાડીમાં સહીસલામત આવે છે, તેને માટે રસોઈ તૈયાર રાખજો.” એટલી ખબર આંખ અંતઃકરણને પહોંચાડે કે તુરત દરેક ઓફિસને દરેક અમલદાર પિતાનું કામ રીતસર કરવા મંડી પડે છે, તેને આપણે આગંતુક આનંદ માનીએ છીએ. તેવી રીતે કેઈમાણસને માર પડવાથી, પડી જવાથી, ઘસડાવાથી કે અક સ્માત વાગવાથી પણ વ્યાનવાયુની ઑફિસમાં અવ્યવસ્થા થાય છે. આમ થવાથી સમાનવાયુએ પાચકપિત્ત અને અવલંબન કફને જે માલ એકલા હેય, તેને વ્યાનવાયુ ગ્રહણ કરી શકતા નથી. આથી વધારાનું પિત્ત અને વધારાને કફ પિતા પોતાના સ્થાનમાં એકઠા થવાથી તેને પચાવવા માટે આશાને અથવા કળાઓને જે શ્રમ પડે છે તેને લીધે શરીર તપે છે. એટલે આપણે એમ માનીએ છીએ કે, આ માણસને અભિઘાત એટલે વાગવાથી તાવ આવ્યું છે. કેઈ માણસને વિષપ્રયોગ થવાથી–ઝેર ખાવાથી અથવા ઝેરને સ્પર્શ થવાથી પણ વ્યાનવાયુ બગડીને ભ્રાજકપિત્ત માં વધારે થાય, તે તે માણસનું મુખ કાળું થઈ જાય છે, ચામડીમાં દાહ થાય છે અને પાચકપિત્ત અપાનવાયુ તરફ દેડી જવાથી પાતળા ઝાડા થાય છે. સમાનવાયુ પિતાને ભાગ નહિ પાડી શકવાથી અન્નને અભાવ થાય છે, તેની અસર સાધકપિત્તમાં થવાથી રસ કફ સુકાઈ જાય છે. એટલે તેને તરસ લાગે છે અને ચામડીમાં રહેલે કલેદન કફ સુકાવાથી પિત્ત વધે છે, તેથી શરીરમાં સોય ઘેચાવા જેવી પીડા થાય છે અને માથામાં રસ કફના સુકાવાથી અને આલેચકપિત્તના વધવાથી તે રેગીને મૂછ થાય છે. તેમ ધ્રાણેન્દ્રિયથી કેઈવિષવાળા ઓસડની વાસ લેવામાં આવે અથવા જે વાતાવરણમાંથી વિષપ્રવાહ ધ્રાણેન્દ્રિય દ્વારા પ્રવેશ For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy