SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઋતુ-દર્પણ ૫૩ ઉપરથી આપણે કાઇ પણ નિશ્ચય ઉપર આવી શકતા નથી એટલે આપણને વધારે ખુલાસાની જરૂર છે. કુદરતને નિયમ તપાસતાં આપણને જાય છે કે, કોઇ પણ રસ કાઇ પણ ઋતુમાં એકલા ઉત્પન્ન થતા નથી પરંતુ જંતુ પ્રાધાન્ય હાય છે. તેનું જ નામ આપવામાં આવે છે. એટલે દરેક ઋતુમાં છયે રસની વનસ્પતિએ મળી શકે છે. પરંતુ એટલે તેા નિશ્ચય છે કે જે જે ઋતુમાં જે રસના કાપ થયેલા હાય તે રસની વનસ્પતિ ફળફૂલવાળી થાય છે. જે ઋતુમાં જે રસના સંચય થતા હાય તે ઋતુમાં તે રસની વનસ્પતિ ઊગતી અને વધતી દેખાય છે, અને જે ઋતુમાં જે રસનું શમન થતું હોય તે વનસ્પતિ કાં તે સુકાઈ જાય છે અથવા કાં તે પોતે બીજી ઋતુમાં નવપલ્લવ થવા માટે પેાતાના જૂના શણગાર ઉતારી નાખે છે. એટલે એ ઉપરથી આપણે નિશ્ચય કરી શકીએ છીએ કે જે ઋતુને અનુકૂળ જે વનસ્પતિને ઊગવાનો, વધવાના એટલે નવપલ્લવ થવાના ચેાગ હોય અને તેજ વનસ્પતિ તે ઋતુમાં ઊગી હાય તા તે ઋતુના સમયેાગ થયેલે ગણાય છે. જે જે ઋતુમાં જે વનસ્પતિને નવપલ્લવ થવાના ચેાગ નથી પણ તે ઋતુની પાછળ આવતી બીજી ઋતુમાં કે ત્રીજી ઋતુમાં ઉત્પન્ન થવાના ચૈાગ ડાય, છતાં નહિ ઉત્પન્ન થવાના યોગવાળી ઋતુમાં તે વનસ્પતિ નવપલ્લવ થતી કેખાય તે ચાલુ ઋતુમાં, આવનારી ઋતુને મિથ્યાયેાગ થયા છે એમ માનવું; અને જે ઋતુમાં વનસ્પતિના ઊગવાના અથવા નવપલ્લવ થવાના સંભવ છે પણ તે ઋતુમાં તેમ ન થાય તે તે ઋતુને હીનયેાગ થયા છે એમ ૠણુવું, અને જે ઋતુમાં જે વનસ્પતિના જેટલા ફેલાવા થવા જોઇએ તે કરતાં અધિક ફેલાવા દેખાય તે તે ઋતુના અતિયેાગ થયા છે એમ જાણવું. આપણે એટલું યાદ રાખવાનુ` છે કે આપણા દેશમાં હું ઋતુએ For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy