SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાદવાળા અને બગલાએ , તળાવે ૨૪૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ બકુલ અને ચપિલીનાં ફૂલ ખીલ્યાં હોય; આમલીને કાચા કાતરા દેખાતા હોય, રાત્રે તમરાં બોલતાં હોય; આગિયા ચમકતા હોય, સિંહસંક્રાંતિ પૂરી થતી હોય, કીડી અને મંકોડાને પાંખ આવી હેય, તે વર્ષાઋતુને સમગ થયે છે એમ જાણવું. * શરદરતુ–જે શરદઋતુમાં સૂર્ય પીળા રંગને દેખાતો હેય, આકાશ સફેદ વાદળાઓવાળું દેખાતું હોય, તથા વાદળાં વિનાનું વચ્છ પણ દેખાતું હોય, તળાવે તથા નદીને કિનારે હંસ, સારસ અને બગલાઓ બેઠેલા હોય, પૃથ્વી નીચા પ્રદેશમાં કાદવવાળી, ઊંચા પ્રદેશમાં સુકાયલી, સપાટ પ્રદેશમાં વૃક્ષોવાળી તથા કાંટાસરિયા, સપ્તપર્ણ, બપરિયા, બિલા, દારૂડિયા, કાળી છરી અને કલારથી શોભા પામતી હોય, વનસ્પતિઓ પીળાં સોનેરી કવચિત રાતાં અને ભૂરાં જાંબલી ફૂલથી શોભી રહી હોય, સાગર (સમુદ્ર) અને સરિતા (નદીઓ) શાંત થયાં હોય, અગસ્તના તારાને ઉદય થયે હેાય, પવનનું તેફાન નરમ પડ્યું હોય, પૂર્વ દિશાને વાયુ આવતે હેય, કેઈ વાર પૂર્વ તરફથી વરસાદ આવતે હેય, મીનસંક્રાંતિ પછી પવન પશ્ચિમને આવતા હોય અને કન્યાસંક્રાંતિમાં પવન ઈશાનને આવતો હેય; હસ્ત નક્ષત્ર (હાથી)ની સૂઢ ફરે એટલે વરસાદ જ્યાં ચડે ત્યાં પડે; કઈ વાર કાળાં, કેઈ વાર રાતાં ને કઈ વાર ધેળાં વાદળ થાય; તેમાં કોઈ વાર પીળાં અને સેનેરી પણ થાય. કોઈ વાર સૂર્ય દેખાય, કેઈ વાર ન પણ દેખાય, કોઈ વાર મેઘ ગાજે ને કઈ વાર ચૂપ રહે આકાશ સ્વચ્છ થાય; ચંદ્રનું તેજ નિર્મળ અને તીવ્ર થાય, ચકેર પક્ષી ચંદ્ર તરફ જોઈ રહે, દેવતર પક્ષી પાણી માટે બૂમ પાડે, તીતર પક્ષી ખેડૂતને ઠપકો આપે, આકાશગંગા સ્વચ્છ જણાય, કુમુદિની (રાત્રિકમળ) રાત્રે ખીલે, નદીકિનારે છીપ મળી આવે, નદી તળાવના પાણી સ્વચ્છ થાય, ભમરા ફૂલ For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy