SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૈયાર કરાવી વિદ્યાર્થીને પિતાનું દવાખાનું ગોઠવવાની સગવડ કરી આપવી જોઈએ, જે હાલમાં નથી. ૩. કેટલાક વૈદ્યોને એ ધારે છે કે, દદી પિતાના હાથમાં આવ્યા પછી દદીને કહેશે કે, તમારે માટે અમુક દવા બનાવવી પડશે માટે તેના ખર્ચના અમુક રૂપિયા આપે, જે એ પ્રમાણે દર્દી પાંચપચાસ કે સે રૂપિયા આપે અને વૈદ્ય તે પ્રમાણે દવા બનાવે, પણ તે દવા તે રોગીને અનુકૂળ ન પડે, એટલે “વેદ્ય મારા આટલા રૂપિયા ખાઈ ગ” એ અપવાદ વૈદ્ય ઉપર આવવાથી આયુર્વેદની ચિકિત્સાને એક કદમ પાછા હઠવું પડે છે. ૪. કેટલાક વૈદ્યને એ નિયમ છે કે, રેગીને જોઈને તેના રેગની અમુક કિંમત કરાવી, ઠરાવેલા ઊધડા રૂપિયામાંથી અર્ધા રૂપિયા આગળથી લઈ, અર્ધા રૂપિયા સારું થયા પછી લેવાની શરતે તેના રોગની ચિકિત્સા કરવાને આરંભ કરે છે. તે આરંભ કર્યા પછી ઠરાવેલી મુદતમાં તે રોગ સારે ન થાય, તે રોગી કહેશે કે, મારા આટલા રૂપિયા ફલાણે વૈદ્ય ખાઈ ગયે! અને જે સારું થાય તે પાછળના રૂપિયા આપવાને માટે રેગી બહાનાં શોધશે અને કહેશે કે, તમારી દવાથી મને કાંઈ સારું થયું નહિ, પણ ફલાણા દેવની બાધા રાખી, ફલાણા સાધુએ દેરો કરી આપે, ફલાણાએ એક ઝાડનું મૂળિયું બતાવ્યું, તેથી મારે રોગ માત્ર આઠ દિવસમાં જ રહ્યો ! એમ કરીને પાછળના રૂપિયા આપવાનું વાંકું બેલે છે, જેથી વૈમનસ્ય ઉત્પન્ન થઈ તે રેગી તે વૈદ્યને ઉપકાર માનવાને બદલે નિંદા કરનારો થઈ પડે છે, જેથી આયુર્વેદની ચિકિત્સાને થોડું પાછું હઠવું પડે છે. ૫. કેટલાક વૈદ્યોને એ ધારે છે કે, રેગીને પિતાની ચિકિત્સાથી આરામ થતે જાણીને પાછળથી ઈનામ લેવાની લાલસા For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy