SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩. શ્રી આયુર્વેદ નિબંધમાળા માંસ વધતું નથી, તેને મેઢાના અને આંખના રોગો ઉત્પન્ન થાય છે અને તે બાળવયથી પિષકતને ગ્રહણ કરવા અશક્ત હેવાને લીધે નબળા બાંધાવાળો, કાયર, ભીરુ, સાહસિક, રિસાળ, ચીડિયે, દુવ્યસની અને સ્વેચ્છાચારી થાય છે, માટે આ રોગ બાળકમાં પ્રકટ ન થાય એવી સંભાળ રાખવાની ખાસ જરૂર છે. આગળ લખવામાં આવ્યું છે કે, બ્રહ્મચર્યને નાશ થવાથી માથું સંકેચાઈ જાય છે. આ વાત એવી છે કે, હાડકાંની બનેલી ખોપરી એક વાર પરિપકવ થયા પછી, તે સંકેચાય શી રીતે? કારણ કે હાડકું વધ્યા પછી ટૂંકું થાય, એ વાત ધ્યાનમાં આવતી નથી; પરંતુ આ વાત સત્ય છે અને અમારા અનુભવથી સિદ્ધ કરેલી છે. જેણે અજમાયશ કરવી હોય તેણે એક ત્રણ હાથ લાંબી દોરી લેવી, તે દેરીને ગરદન ઉપરથી નાખીને તેના બેઉ છેડા, સ્તનની ડીંટી સુધી લાવીને પકડી રાખવા. તે પછી તે પકડેલી દેરી કાયમ પકડી રાખી, કાનની ઉપરથી, ગરદનની પાછળથી બેઉ છેડા કપાળ તરફ લાવવા. જે તે પુરુષ બ્રહ્મચારી નહિ હોય અને તેને કઈ પણ જાતના ઘસારાથી વિર્યપાત થતું હશે, તે તે દોરીના છેડા, કપાળ માથું અને ગરદનના પરિઘ કરતાં વધી પડશે; અને જે અખંડ બ્રહ્મચારી હશે, તે તે દેરી ટૂંકી પડશે. એવું જેવામાં આવ્યું છે કે, જેમ જેમ જે પુરુષનું વીર્ય વધારે ગયું હશે, તેમ તેમ તેનું માથું, પેલી દેરીના માપ કરતાં વધારે નાનું જણાશે. જેને આ વાત અજમાવવાની ઇચ્છા હોય તેણે ત્રણ વર્ષની ઉપરના અને પંદર વર્ષની નીચેના બળાકને માપી જેવું અને પછી સ્ત્રીના સમાગમમાં આવેલા કેઈ પણ પુરુષને માપી છે, જેથી પ્રત્યક્ષ થશે કે, જેમ જેમ વીર્ય ગુમાવતા જઈએ છીએ તેમ તેમ માથાને સંકેચ થતો જાય છે. આપણે જ્યારથી વિયેની કિંમત ભૂલી જઈ, તેને ગેરઉપયોગ કરી, ઓજસ ગુમાવ્યું છે, ત્યારથી આપણે દીન For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy