SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગભેંત્પત્તિ અને શરીરરચનાને કેમ દુલ આડા સ્ત્રોતોને જેમ જેમ વિસ્તાર જાય છે તેમ તેમ ગભને દેહ વધતું જાય છે. જે કે વિષયનું જરા વિષયાતર થાય છે, પરંતુ ગર્ભને લગતી બાબત હોવાથી અમે લખવાનું દુરસ્ત ધારીએ છીએ. ગર્ભવાળી સ્ત્રીએ પહેલા દિવસથીજ આનંદમાં રહેવું, શણગારેલ રહેવું, કાળાં વસ્ત્ર પહેરવાં નહિ, દેવ, ગુરુ અને બ્રાહ્યાણના પૂજનમાં તત્પર રહેવું, ઘણું કરીને મધુર ને સ્નિગ્ધ હૃદયને ગમે એવા હલકા અને દ્રવરૂપ પદાર્થો જમવા. વઘાર આદિથી સંસ્કાર આપેલા અને અગ્નિને પ્રદીપ્ત કરે એવા પદાર્થો, નિત્ય લેવા. ગર્ભવાળી સ્ત્રીએ અતિ પરિશ્રમ કરે નહિ. જમતાં ભૂખ્યા રહેવું નહિ, તેમ અત્યંત ધરાવું પણ નહિ. મૈથુન કરાવવું નહિ, રાતનું જાગરણ કરવું નહિ, શેક કરે નહિ, વાહન ઉપર ચડવું નહિ, લેહી કઢાવવું નહિ, વિષ્ટા કે મૂત્રાદિના વેગને રોકવા નહિ અને ઉભડક બેસવું નહિ. ગર્ભવાળી સ્ત્રીને શરીરની અંદરના દેથી કે બહારથી આઘાત કે પ્રત્યાઘાત થવાથી તેના કેઈ પણ ભાગને પીડા થાય તો તેના ગર્ભમાં રહેલા બાળકના પણ તેજ ભાગને પીડા થાય છે. ગર્ભવાળી સ્ત્રીએ મલિન, ખરાબ આકારવાળી કે ઓછાં અંગવાળી કેઈ સ્ત્રીને સ્પર્શ પણ કરે નહિ. દુધવાળા પદાર્થને સૂંઘ નહિ, મનને અપ્રિય લાગે એવા પદાર્થને જેવા નહિ, કાનને અપ્રિય લાગે એવાં વચન સાંભળવા નહિ, વાસી સુકાયેલું કે કવાથ કરેલું અન્ન જમવું નહિ, થાળાં બાંધેલાં ઝાડ, સ્મશાનનાં ઝાડ કે ગ્લાનિ કરાવે એવા પદાર્થની પાસે જવું નહિ; ઝાઝું બહાર નીકળવું નહિ, ઉજજડ ઘરમાં રહેવું કે જવું નહિ, ઊંચે સાદે બોલવું નહિ, શરીરે તેલ ચોળવું નહિ, કઈ વસ્તુને ચાળીને ખરડ કરાવે નહિ, કઠણ બિછાને સૂવું નહિ અને સૂવાનું કે બેસવાનું આસન ઘણું ઊંચુ રાખવું For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy