________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ બન્ને મિત્રોના ઝઘડાનું મૂળ કારણ હતું એક દૃષ્ટિકોણની પકડ, એટલે કે એકાંતવાદ.
બન્ને વચ્ચેના ઝઘડાના સમાધાનનું મૂળ કારણ હતું બીજાના દૃષ્ટિકોણનો સ્વીકાર, એટલે કે અનેકાંતવાદ.
જગતની બધી સમસ્યાઓનું મૂળ એકાંતવાદ છે. બધી સમસ્યાના સમાધાનનું બીજ છે અનેકાંતવાદ.
યાદ્વાદ અને અનેકાંતવાદ એ પર્યાયવાચી શબ્દો છે. વસ્તુને બધા દૃષ્ટિકોણથી જોવી એનું નામ અનેકાંતવાદ. અનેકાંતવાદ એ અનિશ્ચિતવાદ નથી પરંતુ નિશ્ચિતવાદ છે. તેથી અનેકાંતવાદથી જ વસ્તુના સાચા સ્વરૂપનું જ્ઞાન થાય, એકાંતવાદથી વસ્તુનું સાચું જ્ઞાન ન થાય. તેથી અનેકાંતવાદ જ સાચો છે, એ કાં તવાદ મિથ્યા છે. માટે જ જિનેશ્વરભગવંતોએ અનેકાંતવાદની પ્રરુપણા કરી છે.
અનેકાંતવાદ વિશ્વમાં સર્વત્ર જયવંત છે. તે જણાવવા માટે જ યાકિનીમહત્તરાસુનું શ્રીહરિભદ્રસૂરિ મહારાજાએ “અનેકાંતજયપતાકા' નામનો ગ્રંથ રચ્યો. આ ગ્રંથમાં પૂજ્યશ્રીએ “જગતની બધી વ્યવસ્થા અનેકાંતના પાયા પર ઉભેલી છે' એમ બતાવી “અનેકાંત એ વિશ્વમાં વિજયવંતુ છે' એમ સિદ્ધ કર્યું છે. હરિભદ્રસૂરિજીના ગ્રંથોની વિશેષતા એ છે કે એમના શબ્દો ઓછા હોય પણ એની પાછળનો ભાવાર્થ ભરપૂર હોય. એટલે શબ્દો પર જેટલું ચિંતન કરો
For Private and Personal Use Only