________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
૧૫૭
નો શબ્દ પ્રવર્તતો નથી, ત્યારે યથોક્ત પ્રકારે અભિન્ન શબ્દ અને જ્ઞાનની પ્રવૃત્તિનો જેના ઉપર આધાર છે એવા વસ્તુસત્ સામાન્યની સત્તાનો આશ્રય કરવો જ જોઈએ.
અત્રે કહેવાનું છે તે આ પ્રમાણે છે- થોક્ત શબ્દ અને જ્ઞાન એ બેની પ્રવૃત્તિના નિમિત્તનો અમે નિષેધ કરતાં નથી. તો પછી ? માત્ર એકાદિ ધર્મ યુક્ત એવા પરપરિકલ્પિત સામાન્યનો નિષેધ કરીએ છીએ. વિશેષ વૃત્તિનો યોગ થયા વિના તે સામાન્ય સિદ્ધ જ થતું નથી એ વાત પાછળ બતાવેલી છે.
ત્યારે એમ પૂછો કે યથોક્ત શબ્દ અને બુદ્ધિ (જ્ઞાન)ની પ્રવૃત્તિનું કારણ શું?
તો કહીશું કે અનેક ધર્માત્મક જે વસ્તુ તેનો સમાન પરિણામ એ જ કારણે. સામાન્ય વૃત્તિની પરીક્ષામાં ઉપજાવેલા બે વિકલ્પરૂપદોષ અહીં આવવાનો સંભવ નથી, કેમ કે સમાન પરિણામ તેનાથી વિલક્ષણ છે. જુઓ, તુલ્ય જ્ઞાનથી પરિચ્છેદ્ય જે વસ્તુનું સ્વરૂપ તે સમાન પરિણામ છે.
(પાના નં. ૬૪) એ જ સામાન્યરૂપે ઘટી શકે છે, કેમકે સમાનનો ભાવ તે સામાન્ય, સમાનો વડે તેવા થવાય છે એવા અન્વર્થનો યોગ હોવાથી અર્થાતરસ્વરૂપ ભાવનો તેના વિના પણ તેના સમાનપણામાં ઉપયોગ નથી. અન્યથા
For Private and Personal Use Only