________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓગણેશો.)
વિષ પ્રકરણ
( ૩૩૫)
-
-
- -
ખી તુરત પાણ લેનારી છે.
વાધ, ચિતરા વગેરે કરડયા હોય તો-સોજા સહિત પાવાગે ઘા થાય છે, તેમાં થી પરૂ વહે છે અને તાવ પણ આવે છે. જે ચાર પગા જનાવરના નખ અથવા જંગલી માણસના નખ, દાંત વગેરેથી જખમ થાય છે તેમાં પણ ઉપર પ્રમાણેજ ચિન્હ હોય છે. હડકાયાં કુતરાં, શિયાળ કે વાઘ વગેરે હડકાયાં થયાં હોય કે તે
કરડ્યાં હોય તેનું લક્ષણ, કુતરાના કાધિક દોષ જ્ઞાનતંતુઓને નષ્ટ કરી તેના ધાતુઓને ફાડી નાખે છે, તે ગથી તેના મોહેડામાંથી લાળ ગળે છે અને તે આંધળાં કિંવા બેહેરાં થઈ આકાર તેણીકર દેડે છે તથા તેનું પુંછડું, હડપચી, કાંધ અને માથું નીચું નમી જાય છે. માથું દુખ્યા કરે અને મોડું નમી જાય ત્યારે જાણવું કે કુતરૂં, શિયાળ કે વાઘ વગેરે હડકાયાં થએલા છે.
હડકાયાં કુતરાં વગેરે જેને કરડ્યાં હોય તેને કરડ્યાને સ્થળે બહેરાશ થઈ જાય છે, કાળું લેહી નીકળે છે, હાથ તથા માથામાં દુખાવો થાય છે, તાવ આવે, અંગ જડ-શૂન્ય થઈ જાય અને તરશે તથા મૂછાયુક્ત હોય છે. - આજ પ્રમાણે સાપ, ખચ્ચર, ઘેડ, રીંછ, ચિત્ર અને વરૂ વગેરેને હડકવા હાલ્યો હોય અને કોઇને કરડે તે ઉપર પ્રમાણે જ લક્ષણે થાય છે, ઝેરી દાઢ હોય તે ખરજ, સોયો ઘેચાયા જેવી પીડા, શરીરના વર્ણનું બદલાવું, શૂન્યતા, ચીકણે પરસેવે, તાવ, ફેર, બળતરા, રતાશ, વેદના, પાકવું, સેજે, ગાંઠ થાય, ફોટો પડી જાય તથા ત્યાં ફેલા થાય, માંસના લોચા નીકળવા લાગે અને ચકાંમાં પડી જાય તે ઝેરી દાઢ જાણવી તથા આથી વિપરીત ચિન્હો હોય તે ઝેર વગરની દાઢ જાણવી.
ઉપર કહેલાં જનાવરોમાંથી જે જે જનાવર કરડયું હોય તે તે જનાવર જેવાજ ચાળા કરે છે, તેના જેવી ચીરો પાડે છે અને જે જનાવર કરડ્યું હોય તેને જ તે માણસ દર્પણ તથા પાણીમાં પ્રતિબિંબ દેખે તે તે મરી જાય છે.
જે પુરૂષને હડકાયું જનાવર ન કર્યું હોય છતાં પાણીના અડવાથી, પાણીના શબ્દથી કે જોવાથી ડરે તે તેના ઉપચાર ન કરવા; કેમકે તેને જળસંગ્રાસ વિષ પ્રાપ્ત થએલ છે. એમ સમજવું. એમ વાગભટનું કહેવું છે.
સ્થાવાર ઝેરના ઉપાય. સ્થાવર વિષ વાળાને ઉલટી કરાવવી. વિષ વાળાને વમન જેવો એક ઉપાય તાત્કાલિક ગુણ કર્તા નથી. વિષ બહુ ગરમ અને તીણ છે માટે સર્વ ઝેર ઉપર હમેશાં ઠંડા ઉપાયો કરવા. અથવા ઝેરને હરનારી ઔષધીઓ મધ અને ઘી સાથે તે જ વખતે પાવી. ખાટે રસ ખાવા આપો અને મરીનું ચૂર્ણ શરીરે ચોળાવવું અને ભોજનમાં સાઠીચોખા, કેદરા તથા સિંધાલૂણ આપવું. જેજે ઝેરનાં અને જે જે દેશનાં અધિક ચિન્હ જણાય તેને તે તેથી વિપરીત ગુણવાળા ઉપાયો કરવા. (જેમ હાયટકલેરલ શરીરની ઇંદ્રિયને શિથિલ-શીતળ કરનાર છે તે તેના ઝેરને શાંત કરવા તેથી વિપરીત ગુણવાળું નકસલૅમિકા યોગ માતાએ આપવું; કેમકે એનો ગુણ નસેને ઉષ્ણ અને તંગ કરવાનું છે. એમ પ્રત્યેક વિપરીત ગુણોવાળાં પડે એક એકને ઉપર વિચારીને કુશળતા સાથે આપવાં) અથવા
For Private And Personal Use Only