SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૪) અમૃતસાગર. (તરંગ દૃષિ વિષનાં લક્ષણે. જે ઝેર અત્યંત જુનું થઈ ગયું હોય અથવા ઝેરનો નાશ કરનાર વડાએ જેનું જોર ઓછું કરી નાંખ્યું હોય અથવા દવથી, વાયુથી કે તડકાથી સુકાઈ ગયું હોય અથવા એની મેળે જ દશ ગુણેમાંથી એક બે કે ત્રણ ગુણ ઓછો થઈ ગયા હોય તેને દૂષિ વિષ કહે છે. એ દૂષિ વિષે થોડી શક્તિવાળું હોવાથી માણસ તેનાથી મરી જતું નથી, પણ લાંબા વખત સુધી રીબાય છે, ઝાડો પાતળો થાય, શરીરને વર્ણ બદલાઈ જાય, વિરસતા, બેચેની, તરસ, બેભાની, ભ્રમ, કુચેષ્ટા, બોલવામાં ગર્ગાદપણું અને ઉલટી વગેરે વ્યાધિઓ થયા કરે છે. દૂષિવિષની વિશેષ માહિતી માટે સુશ્રુત ભાવપ્રકાશાદિનું અવલોકન કરે. ઝેરી ઊંદર કરડયાનાં લક્ષણ. જ્યાં ઝેરી ઊંદર કરડ્યો હોય ત્યાં પાંડુવર્ણવાળું લોહી સ્ત્ર, ધામઠાં થાય, તાવ આવે, અરૂચિ થાય, રૂંવાડા ઉભાં થઈ જાય અને બળતરા થાય છે. પ્રાણ લેનારા ઊંદરના ઝેરનું કામ. જે ઊદરના કરડવાથી મૂ, અગમાં સે, વર્ણનું બદલાવું, કદ, બેહેરાપણું, તાવ, માથામાં ભારેપણું, લાળનું ઝરવું અને લોહીની ઉલટી થવી તથા ઊંદરના આકાર જેજ સોજો થાય, તે પ્રાણહર ઊંદરવિષ કહેવાય છે. કાચંડે કરડ હેાય તે-જે, કૃશતા અનેકવર્ણનું દેખાવાપણું થાય તથા મોહ, થાય અને ઝાડે થયા કરે છે. વીંછીના ઝરનું લક્ષણ-વીંછીના કરથી કઈકજ અજાણ્યું હશે; તદપિ જે વિશેષ જાણવા એગ્ય છે તે જણવવાની જરૂર છે. એટલે વીંછી ડંખ થતાં અગન બળે, જલદીથી ઝેર ઉચે ચઢે, અંગેને ભેદનારી વ્યથા કરે અને અમુક વખતે પાછી ડંખમાં વેદના આવી રહે છે એ તે સહુકે જાણે છે, પણ જે વીંછીના ડંખથી નાક તથા જીભ પતતાનાં કામ બજાવી શકે નહીં એવી વેદના થાય, માંસે અત્યંત પડ્યા કરે અને કેહનાથી પ્રાણ નીકળી જાય તેને પ્રાણહર વીંછીનું વિષ કહે છે. ઝેરી દેડકે કરડયો હોય તે-ખમાં એકજ દાઢ ઉઠેલી હોય છે, વેદના સહિત પીળે સેજે થાય છે, તરશ લાગ્યા કરે છે, ઉંઘ આવે છે અને ઉલટી થાય છે. ઝેરી માછલ કરડયું હોય તો–બળતરા, સેજે અને વેદના થાય છે. ઝેરી જળો કરડી હેય તે–ચળ, સેજે, તાવ અને મૂછ આવે છે ઝેરી હેઠગીરેળી કરડી હેય તે-બળતરા, સેજે, સે કયા જેવી વ્યથા અને અંગે માં પરસેવે થાય છે. કાનખજ કરડ હેય તે-ખની જગ્યાએ પરસેવો થાય છે, વેદના થાય છે અને બળતરા થાય છે. મછર કરડયો હોય તો-ચળવાળો અને થોડી વેદનાવાળો જરાક સેજો આવે છે. પણું અસાધ્ય (વગડાઉ) મચ્છર કરડ્યો હોય તે ભૂતાના ઝેર સમાન ચિન થાય છે. ઝેરી માખી કરડી હેય તે--ખની જો કાળી, બળતરાવાળી, મૂછ અને તાવ સહિત ફલી થાય છે. સુશ્રુતે છ પ્રકારની માખી કહી છે તેમાં સ્થગિકા નામની મા For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy