SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩ર) અમૃતસાગર. તરંગ ઝેરી ફુલો ખાધાં કે ખવરાવ્યાં હોય તો ઉલટી, આફરો અને મૂછ થાય છે. ઝેરી છાલ, સાર ( હેર લાકડું) તથા ગંદ ખાધાં કે ખવરાવ્યાં હોય તે, હે માં દુર્ગધ, માથામાં પીડા, શરીરમાં લુખાસ અને કફનું પડવું થાય છે. ઝેરી દુધ ખાધાં કે ખવરાવ્યાં હોય તે, મોંમાં ફીણ, ઝાડાનું થવું અને જીભનું ભારેપણું થાય છે. સેમલ, હરતાલ વગેરે ધાતુઓ ખાધી કે ખવરાવી હોય તે, છાતીમાં પીડા, મૂળ અને તાળવામાં બળતરા થાય છે. અને કંદ-વછનાગ વગેરે ખાધા કે ખવરાવ્યા હોય તે, કયારે, સ્તબ્ધતા, માથામાં પીડા, પેટનું વધવું, ઉલટી, હેડકી અને સેજે એટલાં ચિન્હ થાય છે કંદનાં ઝેરે વિના બીજા નવ ઝેરે કાળાંતરે મરણ કરે છે, પણ સુશ્રુતમાં કહેલાં ૧૩ ભેદના કંદનાં ઝેર તુરત પ્રાણ લઈ લે છે. ભાવપ્રકાશ ઝેરમાં સ્વાભાવિક દશ ગુણ છે. લુખાપણું, ઉનાપણું, તીક્ષણપણું, સૂક્ષ્મપણું, આશુપણું, વ્યાયીપણું, વિકાશીપણું, વિશાદપણું, લપણું અને અપાકીપણું એ દશ ગુણે ઝેરમાં હોય છે. ઝેર લુખાપણને લીધે વાયુને કુપિત કરે છે, ઉષ્ણુતાને લીધે પિત્તને તથા લેહીને કેપાવે છે, તીર્ણપણને લીધે બુદ્ધિને બગાડે છે, તથા મનના બંધને કાપી નાંખે છે, સુ પણાને લીધે અવયવોમાં પેસી જાય છે, આશુપણાને લીધે શરીરમાં તુરત ફેલાય છે, વ્યાયીપણાને લીધે પ્રકૃતીને ફેરવી દે છે, વિકાશીપણાને લીધે દેને, ધાતુઓને તથા મળને ઉખેડી નાખે છે, વિશાદપણને લીધે ભારે જોર કરે છે, લઘુષણને લીધે માંડ માંડ ઉપાઅને તાબે થાય છે અને અપાકીપણાને લીધે મહા મુસીબતે પચે છે. આવા ગુણોને લીધે ઝેર લાંબા વખત સુધી દુઃખદાયી થઈ પડે છે. શુદ્ધ સ્થાવર વિષના ગુણ. શુદ્ધ કરીને સ્થાવર વિષ ખાવામાં આવે તે લુખા, ઉના અને તીખા ગુણોને લીધે સૂક્ષ્મ ગુણ આપે છે, વિષયને વધારે છે, શરીરના સઘળા ભાગોમાં તુરત ફેલી જાય છે, સતેજતા અને અપરિપકવતાપણાથી તુરત અમલ કરી વધારે વખત ટકે છે. ઝેરી શસ્ત્રના વાગવાથી થતાં ઝેરનાં ચિ. જે શત્રને ઝેરી પાણી પામેલ હોય અને તે શસ્ત્ર ઘા વાગ્યો હોય તે તે જખમ તુરત પાકે છે, તેમાંથી લોહી વહ્યા કરે છે, વારંવાર પાકે છે, ઘામાંથી કાળું કલેદવાળું ધjજ ગંધાતું માંસ સડીને ખર્યા કરે છે, તરસ લાગ્યા કરે, બહાર તાપ થાય, અંદર પણ બળતરા બળે અને બેભાન થયા કરે છે. જેણે દ્વેષભાવથી ઝેર ખવરાવ્યું હોય તે દુષ્ટને પારખવાની યુક્તિ. કોઈ માણસે કોઈનો ઘાત કરવા ઝેર ખવરાવ્યું હોય તે, અભિપ્રાય સૂચક ચેષ્ટાઓથી, વાણથી, મોંના ચહેરાથી ઝેર દેનાર વરતાઈ આવે છે. કાંઈ હેજ પૂછયા છતાં પણ ઘભરાઈ જઈ ઉત્તર દઈ શકે નહીં, બોલવાનું મન કરે પણ મુંઝાયા કરે,કદાચ બેલે તે મૂર્ણની પેઠે બડબડ્યા For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy