SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંદરમ ) ત્રણસેથ પ્રકરણ. ( ર૩૩) નાવરના ડંખને સેજે હોય તથા સુરતના ઉત્પન્ન થએલા સેજાની પીડાને શાંત કરવા અર્થાત્ ન પાકવા દેવા માટે તે સ્થળે જળો મૂકાવવી અથવા તો શીંગડી કે અસ્તરાવડે લેહી કઢાવવું કેમકે પીડાનું મૂળ લોહી છે અને જે લેહીજ તેમાં ન હોય તે પીડા થતીજ નથી “ જાતિ કુતિ રાણા? ” એ માટે અવશ્ય લેહી કઢાવવું. એક બાજુએ સઘળી ક્રિયાઓ મળી જેટલું કામ કરે છે તે સઘળું કામ એકલું લોહી કાઢવાથી જ થાય છે. સજા ઉપર થોડાં ઉનાં ઔષધો લુગડામાં બાંધી બફારો દેવાના પ્રકાર. જે સેજે કાચો હોય અથવા પાક ઉપર આવવા લાગ્યો હોય તે તેના ઉપર ઉપનાહ વેદ કરે, જેથી તે સેને કાચો હોય શાંત થઈ જાય છે અને પાકવા લાગેલ હોય તો તુરત પાકી જાય છે. માટે દશમૂળ, કાંસકી, રાસ્ના, આસગંધ, એરંડાનું મૂળ, અથવા એરંડા, નગોડ અને સાટોડી એઓને ગરમ લેપ કરો.” અથવા-સરગવે, પીપર, સિંધવ, કપાસીયા, સુંઠ, શણનાં બીજ, અળસી, કળથી, તલ, જવ, સરસવ, કાળી તુળસી, મૂળાનાં બીજ અને સવા એઓમાંથી જેટલા પદાર્થો મળી આવે તેટલાને લઈ ખાટા રસમાં વાટી ચટણ જેવા બનાવી જરા ઉના કરી લુગડામાં બાંધી આતે આતે વ્રણના સજા ઉપર વિધિ પ્રમાણે બફાર આપવો, જેથી વાયુનો સેને નિચ્ચે શાંત થઈ જાય છે. આ શેભાંજનાદિ ઉપનાહ વેદ કહેવાય છે. અથવા સાડીનું મૂળ, દેવદાર, સુંઠ, સરગવો, અને સરસવ એઓને ખાટા રસમાં કરી ઉનાં કરી રહેવાય તે ઉને લેપ કરે જેથી સર્વ પ્રકારના રોજ મટી જાય છે. આ પુનર્નવાદિ લેપ કહેવાય છે. ત્રણના સેજને પકવવાનો વિધિ. જે વ્રણને સેજો લેપ વગેરેના કરવાથી પણ શાંત ન થાય તો તે ઉપર પાચનીય પકવી નાખે તેવા) પદાર્થો બાંધવા–એટલે શણનાં બીજ, મૂળાનાં બીજ, સરગવાની શીંગો કે બીજ, તલ, સરસવ, અળસી, સાથ અને દારૂ કહાડવાનો જા અથવા-જવ, ઘઉં, લીંબડાનાં પાન વગેરે વગેરે ગરમ પદાર્થો પકાવી ગરમા ગરમ વણ ઉપર બાંધે તે, ત્રણસોથપાકી જાય છે. પાકેલા ત્રણસોથ–સેજાને શસ્ત્ર વા ઔષધોથી ફાડવાનો પ્રકાર, જે ત્રણસોથમાં રસી થઈ ગઈ હોય, વાંકા ન હોય અને કોતરવાળા હોય તો તેઓનું તથા ભરનીંગળોનું શસ્ત્રવતે કે ઔષધ ક્રિયાથી ભેદન કરવું જોઈએ, કારણ કે ફોડી નાંખી તેમાંથી રસી દાબીને કહાડી નાંખવી એજ ફાયદાકારક છે. શસ્ત્રક્રિયા કોઈ ચતુર વેધના હાથથી કરાવવી; કેમકે શસ્ત્રથી વિંધ કે ચીરવાના સંબંધમાં તથા કેટલે ઉંડે, કેટલે પહોળા ચી દઈ અંદરની લા કાઢી નાખવી તે મૂર્ખલેભાગુ વૈધના જાણવામાં હોતી નથી માટે શસ્ત્રક્રિયામાં કુશળ હોય તે પાસે શસ્ત્રક્રિયા કરાવવી. તેમાં પણ એ અપવાદ છે કેજે વ્રણરોગી બાળક, વૃદ્ધ, શસ્ત્રના ઘાતને ન ખમી શકે તેવા માણસ, ક્ષીણ મનુષ્ય, બીકણ અને સ્ત્રીઓ એઓને મર્મસ્થાનોમાં ઘણ-ગુબાં થયાં હોય તે તે ગુણોને એવધે ના લેપથા ફાડી નાખવાં, પણ શસ્ત્રક્રિયા ઉપયોગમાં લેવી નહિ. માટે કરકચનું મૂળ, રાતા ચિતરાનું મૂળ, નેપાળાનું મૂળ, ભીલામાં, કણેર અને હેલાની, કાગડાની તથા ગરજણની ૩૦ For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy