SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંદરમ) આગંતુક વ્રણ પ્રકરણ. ( ર૩૧ ) હાર અથવા ઘા થતાં જે મર્મ રહિત શિરા–રના ક્ષતનાં જેવાં ઉપર લક્ષણો કહ્યાં છે તેવાંજ લક્ષણે હોય છે; પરંતુ આમાં એટલું વિશેષ છે કે–તે લક્ષણો સામાન્ય રીતે થાય છે. માંસમર્મ વિદ્ધનાં લક્ષણ—માં સમર્મની જગ્યા ઉપર વિદ્ધ થતાં–વીંધાતાં રોગીના શરીરનો રંગ પાંડુ-પીળે થઈ જાય છે અને તેની સ્પર્શદિયે નષ્ટ થઈ જાય છે. ત્રિણ માત્રના સામાન્ય ઉપદ્રવો. વિસર્ષ, પક્ષઘાત, શિરાસ્તંભ, અપતાનક, મેલ, ઉન્માદ, તાવ, વણપીડા, તરસ, હનુગ્રહ, ઉંધરસ, ઉલટી, અતીસાર, હેડકી, શ્વાસ અને કંપારો આ સેળ ઉપદ્રવો ત્રણના અંગે રહેલા છે. અગ્નિદગ્ધ-દેવતાથી દાઝેલાનાં લક્ષણ. અગ્નિદધના બે ભેદ છે એટલે એક તે ઉકળેલા તેલ ધી વગેરે પ્રવાહી પદાર્થોથી દાઝવું અને બીજું તપાવેલું લોઢું તથા દેવતાથી દાઝવું એમ બે પ્રકાર છે, પરંતુ તેના અંતર્ગત બીજા પણ ચાર પ્રકાર છે તે નીચે પ્રમાણે. ' પુદગ્ધ, દુર્દષ્પ, સમ્ય દધ્ધ અને અતિદગ્ધ-આવા ચાર ભેદ છે એટલે જે દેવતાથી દાઝી ગયું હોય અને શરીરનો વર્ણ વિચિત્ર પ્રકારના જ બની ગયા હોય તેને પુષ્ટદધ કહે છે. દાઝેલાના શરીરમાં બળતરા થાય, પીડા ઘણું હોય, ફેલ્લા ઉઠી આવે અને તે ઉપર રૂઝ મોડી આવે તેને દુર્દશ્વ કહે છે. બળેલું શરીર તાંબાના રંગ જેવું થઈ જાય, બળતરા બહુજ થાય, પીડા વિશેષ ફેલાય નહીં તેને સમ્યગ્ધ કહે છે. અને જેનું માંસ લટકી પડ્યું હોય ગાત્ર વીંખાઈ શરીરથી જુદુ થયું હોય, શિરા, સ્નાયુ, હાડ, સધિસ્થાન વગેરે દાઝી જતાં તેઓમાં ગુટફાટ થઈ હોય તથા તાવ, બળતરા, તરસ, મૂછો થઈ આવે અને શરીરનો વર્ણ બદલી જાય તથા રૂઝ મોડી આવે તેને અતિદગ્ધ કહે છે. દોષોથી થએલા શારીરિક ત્રણના ઉપાય. - ત્રણસોથ શારીરિકવણ કિંવા સર્વ પ્રકારના ત્રણ ઉપર ૧૧ પ્રકાર મુખ્ય પ્રકારે કહે લા છે. જો કે ચરક અને સુશ્રતમાં તે વ્રણના ઉપાય ૬૦ પ્રકારે કરવા એમ કહેલ છે; તદપિ તે સર્વનું વિવેચન કરતાં ગ્રંથના કદમાં વધારે થઈ જાય માટે મુખ્ય ૧૧ પ્રકાર છે તે અન્ને ગ્રહણ કર્યા છે, તે એકે--પ્રથમ ત્રણને સોજો ઉતરી જાય તેવો લેપ કરે, પછી સજાના ઉપર કવાથ વગેરેનું ઉનું પાણી ઝારવું–ધીરે ધીરે હેવાય તેમ તેઉપર ધાર કરવી. ૫ છો સેજાને ચેડી કરમાવી નાખો. તે પછી સજામાંથી લેહી કઢાવવું. તે પછી સોજાની ઉ. પર થોડાં થોડાં ઉનાં વધે લુગડામાં બાંધી તેને બફારો દઈ પરસેવ લાવ. તે પછી સજાને પકવવા માટે ઔષધોપચાર કરી પકાવો. તે પછી સોજાને શસ્ત્ર-સ્તરથી કે ઔષધ વેગથી ચીરી નંખાવવો. તે પછી સેજાને-ગુમડાને અંગુઠાથી દબાવી તેમાંનું પરૂ કાહાડી નાખવું અથવા પરૂને ખેંચીને કહાડે તેવા ઔષધે જ ખરડ કરો. તે પછી તેને ઔષધના કવાથ વગેરેથી સાફ કરવું; તે પછી તેમાં રૂઝ આવે તેવા ઉપાય કરવા. અને તે પછી ત્રણ થયા પહેલા જે ચામડીને વર્ણ હતું તે ફરી થાય તેવા ઉપચાર કરવા. આ પ્રમાણે આગીયાર પ્રકાર ઉપયોગમાં લેવા. સોજાને શાંત કરનારા લેપે. જેમ લા લાગી હોય અને લાહ્યને પાણી તુરત ઓલવી શકે છે તેમ પીડાને તુરત શાંત કરી શકે છે. For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy