SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમૃતસાગર. (તરંગ-- દ - - - - - - - - - - - - - - - - - - - - - - રકા ૧ (આ છે પિત્તના) વસા ૧૭, મજજાં ૧૮, હૈદ્ર ૧૯, હસ્તિ ર૦. (આ ચાર વાયુના છે.) વાટ, ચર્ક મુનિ, ભાવમિશ્ર, માધવાચાર્ય, સુશ્રુતાદિઓના મત પ્રમાણે ઉપર કહેલા ૨૦ જાતિના પ્રમેહ છે; પરંતુ આત્રેયજીના મત પ્રમાણે ૨૬ છે-એટલે ર૦ ઉપર કહ્ના છે અને પૂય 1, તકર, પીડિતકા, ૩, શર્કરા ૪. ધૃત ૫ અને અતિમૂત્ર ૬ આ છ મળીને ૨૬ માનેલ છે. પ્રમેહનું પૂર્વ રૂપ. દત વગેરેમાં મેલ ઘણે આવે, હાથ તથા પગમાં બળતરા, શરીરમાં ચીકણપણું, તરસ ઘણી લાગે અને ડું મીઠું રહ્યા કરે તે જાણવું કે પ્રમેહ થશે. પ્રમેહનાં સામાન્ય લક્ષણ. વિશેષ કે પાતળી ધાતુઓને સંબંધથી મેલું મૂવ ઉતરે તથા વારંવાર મૂવવું પડે, અને ઘણું જાડું કે ઘણું પાતળું મૂતરે તે જાણવું કે પ્રમેહ રોગ છે. (ચિકિત્સકમ કપ વાદિલીને કર્તા કહે છે કે-પ્રમેહમાં વિર્ય સહિત મૂવનું પડવું, શેષ અને અંગદુર્બલ થાય છે.) પ્રમેહ રોગમાં દેવ અને દૂધ એનાં એજ હેય છે; છતાં પણ સંયોગની અનેકતાનાલીધે મૂત્રના રંગમાં ફેરફાર થાય છે તે ઉપરથી પ્રત્યેક પ્રમેહના જુદા ભેદ પાડેલા છે, તે નીચે પ્રમાણે– કફના દશ પ્રમેહનાં લક્ષણ જે આછું કે સ્વચ્છ મૂતરે કિંવા ઘણું થવું, ઠ, પાણી જેવું, અથવા ઘણું મૂરે, રંગે ધળું, ગંધ રહિત, કાંઈક જાડું તથા ચીકણું મૂતરે તે ઉદક પ્રમેહ જાણો. જે શેલડીના રસ જેવું મીઠું તથા ઝાઝું ઉતરે તે ઈટ્સ પ્રમેહુ જાણવો. જે રાતવાસી રહેતાં મૂત્ર જાડું થઈ જાય તે સાંદ્ર પ્રમેહ જાણે. જે દારૂ જેવી વાસના વાળું મૂત્ર ઉતરે તથા રાતવાસી રાખતાં કે પાનમાં પડેલું ઉપરથી સાફ અને નીચેથા મેલું મૂલ જણાય તો સુરા પ્રમેહ જણવો. જે લેટ જેવું કે લોટ મેળવેલા પાણી જેવું ધળું તથા ઝાઝુ મૂતરે અને રૂવાડા ઉભાં થઈ જાય તે પિષ્ટ પ્રમેહ જાણો. જે વીર્ય જેવુ કે વીર્યથી મળેલું મૂલ ઉતરે તે શુક્ર પ્રમેહ જાણો. જે ઝીણી રેત જેવી તથા એક એકના મેલાપથી રહિત કફની કણીઓ મૂવમાં ઉતરે તે સિકતા પ્રમેહ જાણવા. જે કેટલીક વાર મીઠું અને કેટલીક વાર ટાકિંવા વારંવાર મૂતરે તો શીતપ્રમેહ જાણે. જે ધીમે ધીમે ઘણું થોડું મૂત્ર ઉતરે તે અને પ્રમેહ જાણો. જે લાળને જેવા તાતણાવાળું ચીકણું મૂત્ર ઉતરે તે લાલાપ્રમેહુ જાણો. પિત્તના છ પ્રમેહનાં લક્ષણ. જે ખારા પાણીના જેવી ગંધવાળું, વર્ણરસ અને સ્પર્શવાળું મૂત્ર ઉતરે તે ક્ષાર પ્રમેહ જણવે. . જે લીલાપણાના રંગ જેવું લીલું મૂત્ર ઉતરે તે નીલપ્રમેહ જાણ. For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy