SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દશમે.) વાતરક્ત પ્રકરણ (૧૫૭) અનુમાન પ્રમાણ કવાથ કરી યોગ્ય માત્રામાં પીએ તો, વાતરક્ત, કોઢ, ખસ અને બળતરા એટલા રોગને નાશ થાય છે. આ ગાદિ કવાથ કહેવાય છે. વિદ્યારહસ્ય. અથવા પાડાની આંખ કે પેટના રંગ સમાન તેજસ્વી ગુગળ શુદ્ધ કરી ૬૪ તેલાભાર લઈ પાણીમાં નાખી તેમાં ૬૪ તેલ હરડે, ૬૪ તેલ બહેડાં, ૬૪ તલા આમળાં અને ૩૨ તલા ગળે નાખી અગ્નિ ઉપર ચઢાવી સાવચેતીથી ઉકાળતાં અધ ભાગનું પાણી બળી જાય ત્યાં સુધી હલાવ્યા કરો. પછી અગ્નિ ઉપ રથી ઉતારી વસ્ત્રગાળ કરી લોઢાના વાસણમાં નાખી ફરી અગ્નિ ઉપર ચઢાવી પકાવો, જ્યારે જાડો થાય ત્યારે ઉતારી ઠડે છે, તેમાં બે તલા હરડેનું ચૂર્ણ બેહેડાં તથા આમળાનું ચૂર્ણ, છ છ તે લાભાર, સુંઠ, મરી તથા પીપરનું ચૂર્ણ બે લાભાર, વાવડીંગનું ચૂર્ણ એક તેલ, નસેતરનું ચૂર્ણ એકલો શુદ્ધ નેપાળાનું ચૂર્ણ એક તોલે અને ચાર તલા ગળાનું ચૂર્ણ યથેષ્ટરીતે મિશ્ર કરી ઉપયોગમાં લેવા. આ પ્રયોગ ઉપર આહાર કે વિહારની પરેજી ન રાખતાં યષ, દુધ, અને સુગંધી પાણીના અનુપાનથી યોગ્ય માત્રામાં ઉપયોગ કરે, જેથી બે અથવા ત્રણે દોષના ત્રાસથી શરીરને રોકનાર, ભાગેલું, ઝરતું, સંકોચાયેલું, ઢીંચણ સુધી પસરેલું તથા લાંબા વખતથી ઉત્પન્ન થએલું વાતરક્ત પણ નાશ થાય છે. તથા ગુબડા, ઉધરસ, કોઢ, ગોળો, સોજો,ઝેર,પાંડુરોગ, પ્રમેહ, અગ્નિની મંદતા, બંધષ્ટ, અને પ્રમેહ સંબંધી ફેલ્લીઓ વગેરેને તુરત નાશ થાય છે; એટલું જ નહીં પણ નિરંતર સેવન કરવાથી કેટલાક કાળે સમસ્ત રેગોને નાશ કરે છે અને જર-બુઢાપો, માટી કિશોરપણું પ્રગટે છે. આ કિશાર ગુગળ કહેવાય છે. અથવા પાણીમાં નાખવાથી ડૂબી જાય તેવાં પુછ ભીલામાં ૧૨૮ તેલ લઈ તેઓના મેહડાને ઈટાડીથી ઘસી. ૧૦૨૪ તેલા ભાર પાણીમાં નાખી ઉકાળવાં. ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે નીચે ઉતારી ૧૨૦ તોલા ભાર ગળાને કવાથ કરી તેમાં મેળવી પછી ગળે લા ૪ બાવચી, લીંબડાની અંતરછાલ, હરડેદળ, આમળાં, હળદર, મજીઠ, ત્રિકટુ, અજમો, સેંધવ, મેથ, તજ, એળેચી, પુમાડીયાનાં બીજ, પિત્તપાપડે, વાળ, તમાલપત્ર. સુગંધીવાળો, સુખડ, નાગકેસર, ગોખરૂ, કૌંચા અને રતાંજળી એઓને ર-ર લાભાર લઈ ઝીણા વાટી ભીલામાના કવાથમાં એકછવ કરી અવલેહ થયેથ બરણીમાં ભરી રાખવો. તેમાંથી ૪ તેલા નિરંતર પાણી સંગાથે સેવન કરે તે વાતરક્ત, વિસર્ષ, કઢ, મસ, ખસ, વાયુ વિકાર અને લેહીવિકાર વગેરે સર્વને નાશ કરે છે. આ અમૃતભલાતક અવલેહ ને કહેવાય છે. અથવા ઉપલસરી, રાળ, મીણ અને મજીઠ એઓને સમાન ભાગે લઈ તેઓનો કલ્ક કરી એગણી દુધ સાથે એક કરી તેલમાં પકાવી તે તેલનું મર્દન કરે તે વાતરા મટે છે. અથવા ગરમાળો, ગળે અને અરડૂસે એઓનો કવાથ કરી તેમાં શુદ્ધ ગુગળ માસા ૪ નાખી તથા એરંડીયું ટાંક ૨ નાખી પીવાથી વાતરક્ત, મૂછ, માથાનો દુખાવો, શ્વાસ અને કેલ્લા-ફોલ્લીઓને નાશ કરે છે. વિઘરહસ્ય “અથવા ખી-શુદ્ધ કરેલી હરતાળને સાટોડીના રસમાં ૨ દિવસ સુધી ખરલ કરી ટીકડીઓ બનાવી સુક્કી સાટોડીની લુગદીના મધ્યમાં તે ટીકડીઓને મૂકી કલેડાની અંદર રાખી ચૂ©ા ઉપર ચઢાવી અહોનિરંતર ૫ દિવસ મંદાગ્નિ દેવો, અગ્નિ આપ્યા બાદ પોતાની મેળે જ ઠંડો પડ્યા પછી તે હેત થએલી હરતાલ પૂરેપૂરા તેલથી ઉતરેલી ૧ રતિભાર ગાદિ કવાથની સાથે સેવન કરે છે, વાતરકત, અઢાર જાતના કઢ, ફીરંગવાયુ, વિસર્ષ, ખસ અને ઉલ્લા-ફોલ્લીઓને નાશ કરે છે. મીણ રસ અને સિં ૧ ભીલામાં ખાનાર મનુષ્ય ખેદ, તાપ, તડકો, ખટાશ, માંસ, દહિં, મિથુન, પંથ, મહું, તેલ અને ક્રોધ વગેરેનો ત્યાગ કરે. For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy