SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમૃતસાગર, (તરંગ તેલ તોલા ૧૪ નાખી એ સર્વે એકઠાં કરી ધીમા અમિવડે પકાવતાં રસ માત્ર બળી એકલું તેલ આવી રહે ત્યારે નીચે ઉતારી ગાળી લઈ તેનું મર્દન કરે તે વિસૂચીક નાશ પામે. અથવા જવને લેટ તથા જવખાર એઓને છાશ સાથે ગરમ કરી એને સહેવાતા સહવાતે લેપ કરે તે, ભયંકર પેટનાં શળ, આફરે અને કાલેરામાં આવતી પીડ નાશ થાય છે. અથવા. સરસીયું ઉનું કરી તેનું ગરમ ગરમ મન કરે તે કુખમાંના વ્યાધિ દૂર થાય છે. ભાવપ્રકાશ, જે કાલેરામાં તરશ વિશેષ લાગતી હોય તે લવીંગને કવાથ ૫. જે વિસૂચીકા પ્રબળપણે વધી ગઈ હોય તો રોગીને પડખામાં ડબ દે. અથવા બીજાનું મૂળ, સુ, ભરી, પીપર, હળદર અને કચ્ચાંના ગેળા એ સઘળાં બરાબર લઈ કાંજીના રસમાં ખુબ ઘુંટી તેનું આંખમાં આંજન કરે તે વિસૂચીકા નાશ પામે. ( આ ઉપાય ઉત્તમ છે) સવસંગ્રહ, હૈજા, મરકી, મહામારી, કાગળીયું, વાસી, વિસૂચીકા, જરીમરી અને કલેરા એ સર્વ એક જ રોગનાં નામે છે. અળસ તથા વિલંબિકાના ઉપાય. ચેઓ સાબુ ટાંક છે અને મોરથુથું ટાક ૧ એ બનેને પાણીમાં ઝીણું વાટી ગુદાએ પડે તે તાકાળ ઝાડે બંધ હોય તે છૂટે છે અને અળસ તથા વિલંબિકા નાશ પામે છે. અથવા દેવદાર, દારૂડી, ઉપલેટ, વરીઆળી, હિંગ અને સિંધાલૂણ એએને બરાબર લઈ કાંજીના પાણીમાં વાટી ઉનું કરી પેટ ઉપર લેપ કરે તે અળસ અને વિલંબિકા નાશ પામે છે. ઇતિ અજીર્ણધિકાર સમાપ્ત. ક્રમ રેગનેઅધિકાર મનુષ્યના શરીરમાં બે પ્રકારના કમિઓ છે એટલે બાથ (શરીરના ઉપર ભાગમાં રહેનારા) કમિઓ અને આમંતર (શરીરની અંદરના ભાગમાં રહેનારા) કમિઓ છે. તે ચામડી ઉપર થતા પરસેવાથી જુ લીખ, સવા વગેરે, ગુદામાંથી નીકળતા ચરમીઆ, કફથી અને રૂધિરથી એમ ૪ પ્રકાથી ઉત્પન્ન થાય છે. તે પિકી અત્યંતર કમીએ કારણથી ઉત્પન્ન થાય છે તે કાણુ એજ કે અજીર્ણ થયા છતાં ભજન કરે, મીઠા, તથા ખાટા પદાર્થો ખાય, દ્રવ પદાર્થો ઉપર વિશેષ ખાર રાખે, લેટ તથા ગોળના મિશ્રણવાળા પદાર્થો ખાય, કસરત કરે નહીં, દિવસે સુઈ રહે, અને વિરોધી વસ્તુઓનું સેવન કરે તે શરીરના મહેલા ભાગમાં કમિએ ઉપજ થાય છે. તેના ૨૦ પ્રકાર છે તેમાં જે ઉપર કહ્યા તે બે વિભાગ પડેલા છે. જેના પેટમાં કમિ ઉત્પન્ન થયા હોય તેનાં લક્ષણ. જ્વર આવે, શરીરનો વર્ણ વિપરીત થઈ જાય, શળ, છાતિમાં પીડા, ગ્લાનિ, ભય, અન્ન ઉપર અરૂચિ, અતિસાર અને ઉલટી થાય તે જાણવું કે પેટમાં કમિઆઓ ઉત્પન્ન થયા છે. કફથી ઉત્પન્ન થતા અને લોહીથી ઉત્પન્ન થતા કમિઆના ભેદ તથા લક્ષણો જાસુવાં હોય તે લક્ષપૂર્વક ભાવપ્રકાશના મધ્ય ખંડને બીજો ભાગ અને વાગુભટાદિ પ્રએનું અવલોકન કરો. For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy