________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૪૭ :
અથાણુમઃ રાત્રિગુણાધિર
ઉપરટીઓ શાસ્ત્રાભ્યાસ. शिलातलाभे हृदि ते वहंति, विशंति सिद्धान्तरसा न चान्तः। यदत्र नो जीवदयार्द्रता ते, न भावनांकुरततिश्च लभ्या ॥१॥ શિલાની સપાટી જેવા તારા, હૃદય ઉપર થઈ અને, સિદ્ધાંત જળ ચાલ્યું જાય પણ, પ્રવેશ કરતું નહિ તને,
જીવદયારૂપ ભીનાશ નથી, એ કારણે તારા મને, વળી ભાવનારૂપ અંકુરાએ, શ્રેણિ ન મળે હૃદયમેં. ૧
સિદ્ધાન્તજળ શિલાની સપાટી જેવા તારા હૃદય પર થઈને ચાલ્યું જાય છે પણ તેની અંદર પ્રવેશ કરતું નથી; કારણ, કે તેમાં (તારા હૃદયમાં) જીવદયારૂપ ભીનાશ નથી અને ભાવનારૂપ અંકુરાઓની શ્રેણી પણ નથી.” ૧
ઉપેન્દ્રવજા. શાસ ભણેલા પ્રમાદીને ઉપદેશ. यस्यागमांभोदरसैन धौतः, प्रमादपंकः स कथं शिवेच्छु । रसायनर्यस्य गदाःक्षता नो, सुदुर्लभं जीवितमस्य नूनम् ॥२॥ સિદ્ધાંતરૂપ વરસાદ જળે, પ્રમાદ કાદવ ના ધ્રુવે, એવા મુમુક્ષુ પ્રાણીઓ જગ, મુક્તિસુખ કયાંથી જુવે? ખરેખરા રસાયણે પણ, જે વ્યાધિ નાશ નહિ કરે, તે જાણવું એ પ્રાણીનું, હવે જીવન આવ્યું આખરે. ૨
“જે પ્રાણીને પ્રમાદરૂપ કાદવ સિદ્ધાંતરૂપ વરસાદનાં જળપ્રવાહથી પણ ધોવાતો નથી, તે કેવી રીતે મુમુક્ષુ (મેક્ષ મેળવવાની ઇચ્છાવાળા) હોઈ શકે? ખરેખર, રસાયણથી પણ જે કઈ પ્રાણીના વ્યાધિઓ નાશ પામે નહિ તે પછી તેનું જીવન રહેવાનું જ નહિ એમ જાણવું.”૨ ઉપજાતિ. ૧ તને-શરીરે. ૨ છેવટ.
For Private and Personal Use Only