________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૯૪ :
અધ્યાત્મઅઢાર હજાર શીલાંગ રથ, ધારણ કર્તા ના કરે, છતાં ય તું મોક્ષસુખ મળવાની, ઈછા ધારણ કરે; પણ હે મુનિ! વેશમાત્રથી, એ શાશ્વત સુખ ન સાંપડે, સંસારદધિ વિસ્તારમાં, આવા પ્રમાદ સહુ નડે. ૨-૩
હે મુનિ ! તું વિકથાદિ પ્રમાદ કરીને સ્વાધ્યાય( સઝાય ધ્યાન) કરવા ઈચ્છતો નથી, વિષયાદિ પ્રમાદથી સમિતિ અને ગુતિ પામતો નથી, શરીર પર મમત્વથી બન્ને પ્રકારના તપ કરતો નથી, નજીવા કારણથી કષાય કરે છે, પરીષહ તથા ઉપસર્ગ સહન કરતો નથી. અઢાર હજાર શીલાંગ ધારણ કરતા નથી તે છતાં તું મોક્ષ મેળવવા ઈચ્છે છે, પણ હે મુનિ! વેશ માત્રથી સંસારસમુદ્રને પાર કેવી રીતે પામીશ ?” ૨-૩
ઉપજાતિ. વિશમાત્રથી કાંઇ વળતું નથી. आजीविकाथमिह यद्यतिवेषमेष,
धत्से चरित्रममलं न तु कष्टभीरुः । तद्वेत्सि किं न न बिभेति जगजिघृक्षु
भृत्युः कुतोऽपि नरकश्च न वेषमात्रात् ॥ ४॥ ભરણપોષણ: આજીવિકા, નિમિત્ત યતિપણું આદરે, પણ કષ્ટથી ડરી જઈ અને, ચારિત્રપાલન ના કરે; પણ તમામ જગતને ગ્રહણ, કરવા ઈચ્છતું મૃત્યુ ફરે, નરકાદિ ગતિ કઈ પણ, પ્રાણ વેશમાત્રથી ના ડરે. ૪
“તું આજીવિકા માટે જ સંસારમાં યતિને વેશ ધારણ કરે છે પણ કષ્ટથી ન્હી જઈને શુદ્ધ ચારિત્ર પાળતો નથી. પણ તને ખબર નથી કે તમામ જગતને ગ્રહણ કરવાની ઇચ્છાવાળું મૃત્યુ અને નરક કાંઈ કઈ પણ પ્રાણીનો વેશ ઉપરથી ડરી જતાં નથી.”૪. ' વસંતતિલકા.
For Private and Personal Use Only