SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૮ ) વોને વિનાશ થાય તે તે કબુલ કરે છે ! અફસોસ! બંધુઓ તેના કિપાક સમાન ફળ ચાખવાં પડશે ત્યારે અતિ ત્રાસ થશે માટે સમજો અને અનાદિની કુમતિને કાઢે, જેથી સુમતિના સંગથી આત્માનું શ્રેય કરી અવિચલ સુખવાસ પામીએ. ' ૧૮ દહીં-પ્રભાતે મેળવેલું (દૂધમાં ખટાઈ નાંખેલી), દહીં સોલ પહોર પછી અભય થાય અને સંધ્યા સમયે મેળવેલું દહીં બાર પ્રહર પછી અભય થાય છે, એમ સેન પ્રશ્નમાં છે. એટલે દષ્ટાંત તરીકે રવીવારના સવારે સાત આઠ કે દશ વાગે મેળવણું નાંખ્યું હોય તેને કાળ રવીવારના સૂર્ય ઉદયથી જ ગણુ. (એમ નહિ જે દશ વાગે મેળવ્યું એટલે ત્યાર પછી ૧૬ પ્રહર). એટલે રવીવારના અહેરાત્રિના આઠ પ્રહર મળી સોળ પ્રહર; તે દહિ મંગળવારના સૂર્યોદય પહેલાં વલવી નાંખવું જોઈએ; ત્યારથી સોળ પ્રહર તેની છાશને કાળ સમજવે તેવી જ રીતે રવીવારની સંધ્યા સમયે કે ત્યાર પછી મેળ વણ નાંખ્યું હોય તેને કાળ રવીવારના સૂર્યાસ્તથી ગણવે. એટલે રવીવારની રાત્રિના ચાર પ્રહર તથા સેમવારની અહેરાત્રિના આઠ પ્રહર મળી બાર પ્રહરને કાળ જાણ. અર્થત દહીં મેળવ્યા પછી બે રાત્રીનું કાળમાન જાણવું. દૂધ ચાર પ્રહર સુધી વર્ણાદિક ન પલટાય તે ત્યાં સુધી ભણ્ય છે, તે દરમિયાન મેળવવું જોઈએ; અને બપોર પછી કે સંધ્યા પછી ગમે ત્યારે દેહેલું દૂધ હોય તેમાં રાત્રિના બાર વાગતાં (મધ્ય રાત્રિ) પહેલાં મેળવણું નાંખી દેવું જોઈએ. દહિ બજારમાંથી લેવા કરતાં ઘર બનાવવું શ્રેષ્ઠ છે, કારણ તેઓનાં વાસણું પ્રાયઃ શુદ્ધ ન હોય, ઉઘાડાં-હાંકયા વગર પણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.018053
Book TitleShreeyakmuni Kayvanna Sumati ane Kumati Mitroni Katha ane Jain Dharmna Pustakonu Suchipatra
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1914
Total Pages300
LanguageGujarati
ClassificationCatalogue
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy