SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ‘પ્રેમચીસી' : દરેક પદના પ્રારંભમાં ૨ દુહા મૂકી તે ારા પૂર્વપર પદોને વિચારથી સંકલિત કરતી, વિશ્વનાથ જાનીની વિવિધ રોગના નિર્દેશવાળાં ૩૫ પની આ પદમાળા(મુ.) જાણીતા ભાગવત–દશમસ્કધના ઉદ્ધવસંદેશ પ્રસંગ પર આધારિત છે. જ્ઞાન કરતાં ભક્તિનો મહિમા બતાવતાં અન્ય ઉદ્ધવસંદેશનાં કાવ્યોમાં સામાન્ય રીતે ગોપીવિરહ મુખ્ય હોય છે. આ કાવ્યમાં કૃષ્ણ અને નંદ-જાદાનો પરસ્પર માટેનો પ્રેમ કેન્દ્રસ્થાને છે. વ્રજ ભાષામાં રચાયેલું વનું જ્ઞાનબોધનું પદ્મ અને એના પ્રત્યુત્તર રૂપે ગોપીઓએ કૃષ્ણને આપેલા ઉપાલંભ કૃતિનો કેટલોક ભાગ રોકે છે, પરંતુ કવિનું લક્ષ્ય તો છે વત્સલભાવના નિરૂપણ તરફ. એટલે પ્રારમાં વસુદેવ, દેવકી અને કૃષ્ણના સંવાદ રૂપે મુકાયેલાં ૮ પદમાં આલેખાયેલી મથુરામાં રહેતા કૃષ્ણની ઉદાસીનતા, ગોકળ આવેલા ઉદ્ધવ પાસે નંદજસોદાની કૃષ્ણદર્શનની આતુરતાની મર્મવેધક અમિવ્યક્તિ અને નંદના વિલાપ-સંબોધનથી આવતો કાવ્યનો અંત અને વત્સલ ભાવમાંથી જન્મતા કરુણનું હૃદયંગમ કાવ્ય બનાવે છે. [જ.ગા.] ‘પ્રેમપરીક્ષા’ : દયારામકૃત ૨૯ કડીનો આ ગરબો(મુ.) ગોપીની ઉદ્ધવ પ્રત્યેની ઉક્તિ રૂપે રચાયેલો છે. જ્ઞાનયોગનો બોધ કરવા ગયેલા ઉદ્ધવની પાસે જ્ઞાનયોગને સ્થાને કૃષ્ણ પ્રત્યેની પ્રીતિની જ ગોપી ઝંખના કરે છે અને તે પણ કૃષ્ણના પ્રત્યક્ષ રૂપની. પ્રગટ ઈશ્વરની પુષ્ટિમાર્ગીય માન્યતા વ્યક્ત કરતાં ગોપી કહે છે – “તમારા તો હિરે સઘળે રે, અમારા તો એક સ્થળે; તમો રીઝો ચાંદરણે તે અમોરી ચંદ્ર મળે.” કૃતિમાં ગોપી આ માિ પ્રેમનું વલણ સ્વરૂપ અનેક ઘાતક દૃષ્ટાંતોની મદદથી મમિક રીતે સ્ફુટ કરે છે. આ પ્રેમની વાત એ જેણે અનુભવ્યો હોય એ જ જાણે પ્રસૂતાની પીડા વધ્યા કેવી રીતે જાણે? આ બીજાને કહી પણ ન શકાય. પ્રેમીને જે દેખાય તે અન્યને ન દેખાય. પ્રીત કરવી પડતી નથી, એની મેળે જ બની આવે છે અને પછી છોડી છૂટતી નથી. સાચી પ્રીત અંતે પ્રાણ લે છે. પ્રેમીજનમાં લજ્જા, સુધબુધ, સામર્થ્ય ટકી શકતાં નથી—ભ્રમર વાંસને કોરી શકે છે, પણ કમળને ભેદી શક્તો નથી, જેની સાથે મન મળ્યું છે તે સિવાય કશું પ્રેમીજનની નજરમાં ન આવે. આ નાનકડો ગરબી પ્રેમના ગૂઢ, બાન સ્વરૂપની આ ઊંડી સમજ અને મનોરમ દૃષ્ટાંતકળાથી ધ્યાનપાત્ર બને છે. [જ.કો.] ‘પ્રેમપ્રકાશ સુતાળોકાળ' [ર.ઈ.૧૭૯૧ સ. ૧૮૪૩,ભાદરવા ૧૪, બુધવાર] : સમકાલીન સમાજજીવનની ઘટનાને વિષય બનાવી ચાયેલી કૃતિઓ મધ્યકીન સાહિત્યમાંથી ગણતર નીકળે. આ દૃષ્ટિએ ઈ.સ. ૧૭૯૧માં પડેલા દુષ્કાળને વિષય બનાવી રચાઈ હોવાને લીધે ધ્યાનપાત્ર બનતી પ્રીતમની ૫૯ કડીની આ રચના (મુ.)માં પહેલી ૨ કડી દુહામાં અને બાકીની શિથિલ રીતે પ્રયોજાવેલા મોતીદામ છંદમાં છે. દુખળમાં વ્યાપેવા નાચારથી તથા નિર્બળ ને સંતપુરુષને સહેવી પડતી વિપત્તિઓ જોઈ કવિનું વ્યાકુળ ભક્તહૃદય પ્રભુ પાસે ધા નાખે છે એ રીતે થયેલી રચના ૨૫૮ : ગુજરાતી સાહિત્યકોશ Jain Education International અને આખરે તો ભક્તિમુક જ બનાવે છે, અમાં થયેલું વિશ્વના વિરાટ સ્વરૂપનું વર્ણન ધ્યાન ખેંચે એવું છે. [૫] ‘પ્રેમરસ—ગીતા’ : રાગ રામગ્રીના નિર્દેશવાળી ૪ કડી અને ઢાળની ૫ કડી (છેલ્લે પ્રશસ્તિની ૫ કડીઓ વધારે) એવો ચોક્કસ પદબંધ ધરાવતાં ૨૧ પદની દયારામની આ કૃતિ(મુ.)માં ભાગવત દશમસ્કંધ આધારિત ઉપદેશનો પ્રસંગ નિરૂપાયો છે. પ્રિયજનોન વિહીન બનેલા શ્રીકૃષ્ણ વજીને વ્રજભૂમિમાં ખબરઅંતર પૂછવા ને જ્ઞાનયોગનો ઉપદેશ આપવા મોકલે છે ત્યારે ત્યાં ઉજવનનું દાદાની પુત્રમિત્રોકતા ને પુત્રવિયોગનું દર્દ તથા ગોપાંગનાઓની વિસ્થિતિની પ્રતીતિ થાય છે તેના આલેખનથી આ કૃતિ વત્સલ, વિપ્રલંભ અને કરુણની આબોહવા જન્માવે છે. માતાપિતાને મુખે થયેલા કૃષ્ણના બાળચરિત્રના આલેખનમાં, માતાના ઉરની આરસીમાં પોતાનું પ્રતિતિબબ જૉઈ, એને અન્ય બાળક ધારી ઈર્ષ્યા માવથી રિસાતા કૃષ્ણનું વિલક્ષણ ચિત્ર સાંપડે છે, તેમ ઉદ્ધવજીનો જ્ઞાનયોગનો ઉપદેશ સાંભળતાં કૃષ્ણને ઉપાલંભો આપતી ગોપાંગનાઓની ઉક્તિઓમાં તળપદી વાભંગીઓ ને દૃષ્ટાંતોની મર્મવેધકતા જોવા મળે છે. સુરત] પ્રેમરાજ–૧ : જુઓ પ્રેમ-૨. પ્રેમ-૨ | ] : જૈન સાધુ. ૧૩ કડીના ‘નવ [ર.ર.દ.] પ્રેમવિજ્ય : આ નામે ૧૯ કડીનું 'શત્રુંજ્ય સ્થાનસંખ્યાસ્તવન લિાઈ,૧૫૯૨), ૫ હીની ‘એકાદશગણધર-સાય, ૨૪ કડીની ચોવીસસિજન-નમસ્કાર’,‘નર સ્વરૂપવર્ણનગભિતવીરજિન-સ્તવન’, ‘મહાવીરજિન-સ્તવન’, ‘રાજલસંદેશ-બાવની’, ૪૪ કડીનું ‘શત્રુંજ્યસ્તવન” (લે.ઈ.૧૮૮૫), ૩૮/૩૯ કડીની ‘સંસારસ્વરૂપ-સઝાય’ તથા ૩૩ કડીની ‘સીમંધર-બત્રીસી’નામની રચનાઓ મળે છે. તેમના કર્તા કયા પ્રેમવિજય છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. માલિકટમઇ ૨૨. મુગૂલસૂચી; લ સૂધી; ૪ ટ્વેન્દ્રશાસૂચિ : ૧. [ર.ર.દ.] કાર વન(મુ)ના કૃતિ : નસ્વાધ્યાય : ૩. પ્રેમવિજ્ઞ−૧ છે. ૧૯મી સદી ઉત્તરાર્ધ-૪, ૧૭મી સદી વિપી તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં વિમલહર્ષના શિષ્યા. તેમની કૃતિઓ આ પ્રમાણે છે : પ૭ કડીની 'હોપુણ્ય ખૂની-ગાય' (ર.ઈ.૧૫૯૬), ૮૪ કડીની 'નેમિનાથ હમચી (ર. ઈ. ૧૫૯૭), ઝડઝમકયુક્ત ભાષામાં પાર્શ્વનાથનાં નામ તથા સ્થાન વર્ણવતી, ૪ ઢાળમાં વિભાજિત, ૩૧ કડીની ‘ત્રણસોપાંસઠ પાર્શ્વજનનામમાળા'(૨.ઈ.૧૫૯૯/સં. ૧૬૫૫, આસો સુદ ૧૦, ગરુવાર; મુ. ૪૧ કડીની ઐતિહાસિક નીપમાલા (ઈ.૧૯૦૩/મં. ૧૬૫૯, વૈશાખ સુદ ૧૫, ગુરુવાર), આત્મહિત સાધના માટેનાં વિવિધ ધર્માચરણો વર્ણવતી, કુદ્ધ ૧૮૫ કડીની ‘આત્મહિત પ્રેમપચીસી : પ્રેમવિજય—૧ For Personal & Private Use Only www.jainsalibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy