________________
હનુમાન
૩૧
હનુમાન
પર્વત સમાન રાક્ષસીનું રૂપ ધારણ કરી, આકાશ પશે એવું અને પીળા ડોળાવાળું ભય કર મુખ પહેળું કરીને ક્ષણવાર વિધ્ર કર, જેથી જણાય કે એનામાં વિર્ય અને બળ કેવાં છે. આ પ્રમાણે દેવ અને ગંધર્વની આજ્ઞા થતાં તે સત્કાર પામેલી દેવી, વિકરાળ, વિરૂપ અને ભય ઉપજાવે તેવી થઈ સમુદ્રની વચમાં આવી ઊભી રહી. આકાશમાં ઊડતા હનુમાનની સામે આવી તેને કહેવા લાગી : અલ્યા હનુમાન ! ઠીક થયું કે આજે તે તું જ મારું ભક્ષ થયું. હું તને ખાવા ઈચ્છું છું, માટે તું મારા મુખમાં પ્રવેશ કર. પૂર્વે મને બ્રહ્માએ આમ કરવાનું વરદાન આપ્યું છે.'
સુરસાએ આમ કહ્યું એટલે હનુમાન હસીને બોલ્યા: “હે રાક્ષસી, દશરથપુત્ર રામ પિતાના ભાઈ લક્ષમણ અને પિતાની સ્ત્રી સીતાની સાથે દંડકારણ્યમાં આવી રહ્યા હતા, ત્યાંથી તેમની યશસ્વિની ભાર્યા સીતાને રાવણ હરી ગયો છે. તેમણે મને દૂત તરીકે સીતાની શોધને સારુ મોકલ્યો છે. અલી, તું તેમના પ્રદેશમાં રહેનારી છે, તે તારે તે આ કામમાં સહાય કરવી જોઈએ; અને એ વાત તને ગમતી ન હોય તે મૈથિલીને મળી, તેની ખબર લઈ, દેષરહિત રામને એ કહી, હું તારી પાસે આવીશ ત્યારે તું મને ખાજે. મારું વચન છે કે હું તારા મુખમાં પ્રવેશ કરીશ.'
સુરસાએ કહ્યું: “મારું ભક્ષ થયા વગર કોઈપણ પ્રાણુ અહીંથી જઈ શકે નહિ, એવું પર્વે બ્રહ્માનું વચન છે.” તે પણ હનુમાન તે સડસડાટ ચાલ્યો જ ગયો. હનુમાનનું બળ અજમાવવા સુરસાએ પિતાનું મોં પહેલું કર્યું. છેવટે હનુમાને કહ્યું: તારી ઈચ્છા જ છે, તો હું તારા માંમાં પ્રવેશ કરું છું. હું સમા એટલું તારું મોં પહેલું કર !' પછી હનુમાને પિતાનું શરીર દસ, વીસ અને ત્રીસ જન વિસ્તાર્યું. જેમ જેમ પિતાનું શરીર વિસ્તાર તેમ તેમ સુરસા પિતાનું મોં વધારે ને વધારે મોટું કરતી જાય. છેવટે તેણે પિતાનું મેં
૪૧
સ યોજનાના વિસ્તારવાળું કર્યું. આમ થતાં જ હનુમાને પિતાને દેહ માત્ર અંગુષ્ટ જેવડો નાને કરી દીધું અને સુરસાના મુખમાં પ્રવેશ કરીને એકદમ બહાર નીકળી ગયો! પછી આકાશમાં ઊભો રહીને કહ્યું કે “હે દાક્ષાયણિ! હું તારા મુખમાં પિસી નીકળ્યો છું. હવે હું મૈથિલી પાસે જઈશ કેમકે તારું વરદાન હતું તે સત્ય થયું છે.’ હનુમાનનું આ બોલવું સાંભળી તે બોલી : “હે વાનરે ત્તમ, છે સૌમ્ય તું તારા ધારેલા કાર્ય સારુ સુખેથી જ; અને મહાત્મા રામની સાથે મૈથિલીને મેળવ. (સુરસા શબ્દ જુઓ.) | વા૦ ર૦ સુદ સ૦ ૧.
લંકા પહોંચતાં પહેલાં વળી એક સિંહિકા નામની રાક્ષસી મળી. એણે ઊડીને જતા હનુમાનની છાયાને પકડી. સુગ્રીવે કહ્યું હતું કે છાયાને પકડે એવી એક રાક્ષસી સમુદ્રમાં રહે છે, એ હનુમાનને સ ભર્યું. હનુમાને તરત જ પિતાનું સ્વરૂપ મોટું કર્યું. રાક્ષસીએ પિતાનું મુખ પણ બહુ જ વિસ્તાર્યું. હનુમાને નાનું સ્વરૂપ કરી એના મુખમાં પ્રવેશ કર્યો અને અંદર જઈ નખ વડે એનાં મર્મસ્થાને વિદારી નાખ્યાં, આથી એ મરણ પામી. પછી પિતે મનના જેવા વેગથી બહાર નીકળી આવ્યો. (૨. સિંહિકા શબદ જુઓ.)
ટૂંકામાં આવાં આવાં પરાક્રમો કરતાં કરતાં હનુમાન લંકા પહોંચ્યો. | વા૦ રા૦ સુંદર સ૦૧; ભાવન અ૦ ૨૮૨.
છેક સંધ્યાકાલે હનુમાન લંકામાં પહોંચ્યો. તેના ગયા પછી થોડી વારે જ ચન્દ્રોદય થયે. સૂકમ રૂ૫ ધારણ કરીને એ લંકામાં પ્રવેશ કરતો હતો એટલે લંકાના રક્ષણ કરનારાઓએ એને અટકાવ્યો. મારુતિએ એમને પરાભવ કરીને લંકામાં પ્રવેશ કર્યો. લંકાની શોભા જેતે જેતે હનુમાન ચાલ્યું. રાજમાર્ગ નાના પ્રકારનાં દેવાલયનાં સિંહદ્વારે, અનેક ઉપવન, ક્રીડાસ્થાને, કેશાગાર, અશ્વો, રથ, ગજે, પદાતિઓ, શસ્ત્રાસ્ત્રગ્રહો અને યાનગૃહ વગેરે બધું એણે સંપૂર્ણ નિહાળ્યું. એક જન