SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ એંધાણ ઃ ગર્ભ. ઉદરમાં રહેલ બાલક. એકત્વવિતર્ક સવિચાર ઃ શુક્લધ્યાનનો બીજો ભેદ, કોઈ પણ એક દ્રવ્યગુણ-પર્યાયના વિચારમાં સ્થિર થવું, પરંતુ વિષયાન્તર ન થવું. એકદાકાળે : કોઈક કાળે, કોઈ એક અવસરે. એકમના ઃ સર્વ એક મનવાળા, એકચિત્તવાળા થઈને. એકરાર કરવો, ઃ વસ્તુનો સ્વીકાર કરવો, સમ્મતિ આપવી. એકલઆહારી : એક જ ટંક ભોજન કરવું તે, એકાસણું કરવું તે. પાદચારી સંઘમાં છરી'' પાળવામાં આ એક અંગ. એકલઠાણું : એક જ ટાઈમ ભોજન કરવું. પરંતુ મુખ અને હાથ વિના અન્ય અંગો ન હલાવવાં. એકલપેટ : પોતાનું જ પેટ ભરનાર, પોતાનું જ જોનાર. ૩૧ એકલવાયું જીવન : એકલો રહેનાર, એકાન્તમાં રહેનાર, દુનિયાના લોકોથી ભિન્ન રહેનાર, એકાન્તવાસી, આવા આત્માનું જીવન. Jain Education International એંધાણ/એકાશણું કરવું એ એકલવિહારી : જે મુનિઓ એકલા વિચરે, સાથીદાર ન હોય તે. એકલાારી : એક ટાઈમ ભોજન કરનાર છરી'' પાળવામાં આ એક અંગ. એકસિદ્ધ : સિદ્ધના પંદર ભેદોમાંનો એક ભેદ, મોક્ષે જતી વખતે જે એક્લા હોય તે, જેમકે મહાવીર સ્વામી. એકક્ષેત્રવર્તી : એક જ ક્ષેત્રમાં રહેનાર, મોક્ષમાં અનંતા એવા જીવો છે કે એક જ ક્ષેત્રમાં રહે છે, જેના બે ભેદો છે : સમાવગાહી અને વિષમાવગાહી. એકાકી વિહાર: મુનિનું એકલું વિચરવું, આચાર્યને યોગ્ય શિષ્યનિષ્પત્તિ થયા પછી તેના ઉપર ગચ્છનો ભાર આપી ભક્તપરીશાદિ મરણ માટે એકલા વિચરવું તે. (મૌન) એકાદશી : અગ્યારસ, એકાદશી, માગસર સુદ મૌન અગ્યારસ. એકાન્તવાદ : કોઈપણ એક નયનો આગ્રહ, કદાગ્રહ, ઠાગ્રહ. એકાશણું કરવું : એક જ ટાઈમ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy