SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ અપરિણત/અપુનરાવૃત્તિ ૧૦ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ અજાણ વ્યક્તિ. અપરિણત ઃ જેનામાં ધર્મના સંસ્કારો પરિણામ પામ્યા નથી તે. અપરિણામી : પરિવર્તન વિનાનું, જેમાં પરિવર્તન ન થાય તે. જેમાં નિશ્ચયદૃષ્ટિ બિલકુલ નથી, કેવળ વ્યવહારમાં જ પ્રવર્તે છે તે. અપરિપૂર્ણ ઃ અધૂરું, પૂર્ણ નહીં તે, અસમાપ્ત. અપર્યવસિતઃ છેડા વિનાનું, અનંત, શ્રુતજ્ઞાનના ૧૪ ભેદોમાંનો એક ભેદ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવથી અંત વિનાનું. અપર્યાપ્તઃ જેઓ પોતાની પર્યાદ્ધિઓ પૂર્ણ કર્યા પહેલાં જ મૃત્યુ પામવાના છે તે (લબ્ધિને આશ્રયી) અને જેઓએ પોતાની પર્યાતિઓ હજુ પૂર્ણ કરી નથી તે (કરણને આશ્રયી). અપલાપ છુપાવવું, સંતાડવું, સત્ય જાહેર ન કરવું તે. અપવર્તન : ઘટાડો કરવો, મોટું હોય તેને તોડીને નાનું કરવું અપવાદ : કેડીમાર્ગ, છૂટછાટવાળો રસ્તો, મૂળમાર્ગે જે સ્થાને જવાતું હોય તે જ સ્થાને જવા માટે તકલીફવાળો પણ નાનો રસ્તો, અથવા નિંદા, દોષો, અપયશ. અપાદાન: વસ્તુ જ્યાંથી છૂટી પડતી હોય તે, પંચમી વિભક્તિનું સ્થાન. અપાનવાયું ઃ શરીરના નીચેના ભાગથી નીકળતો વાયુ. (વાછૂટ થવી તે). અપાયઃ નિર્ણય, નિશ્ચય, મતિજ્ઞાન નો એક ભેદવિશેષ. અપાયરિચયઃ “સંસાર દુઃખોથી જ ભરપૂર છે. દુઃખરૂપ છે'' આવું વિચારવું તે; ધર્મધ્યાનનો એક ભેદ. અપાયાપગમાતિશય ઃ ભગવાનના ચાર અતિશયોમાંનો એક અતિશય, ભગવાન જ્યાં વિચરે ત્યાં લોકોનાં બાહ્યઅત્યંતર અપાયોનો દુઃખો નો) અપગમ (નાશ) થાય તે. અપાર સંસાર ઃ જેનો છેડો નથી, અંત નથી એવો આ સંસાર. અપુનરાવૃત્તિ ઃ જ્યાંથી ફરી પાછા આવવાનું નથી, ફરી જન્મ કરવાનો નથી તે. અપવર્તનીય : બાંધેલાં કર્મોને ! નિમિત્તોથી નાનાં કરવાં, હળવાં કરવાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy