SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ વિભંગજ્ઞાન વિલય થવો ૧૨૨ ક્ષમા. વિભંગજ્ઞાન : મિથ્યાષ્ટિ આત્માઓને થયેલું વિપરીત એવું અવધિજ્ઞાન, અવધિજ્ઞાન જ મિથ્યાદૃષ્ટિ પાત્રના વિભંગ. કારણે : વિભાગ થવો ઃ ટુકડા થવા, બે ભાગ થવા, તેનું નામ ‘‘વિભાજિત’’ કહેવાય છે. વિભાવદા ઃ આ આત્માનો ક્રોધમાનાદિ કષાયને વશ જે પરિણામ તે, અથવા પુદ્ગલથી થતો સુખ-દુઃખમાં સુખ-દુઃખમાં અતિનો જે પરિણામ તે. વિભાવસ્વભાવ : આત્મા સ્વયં રતિ અનંતજ્ઞાનાદિ ગુણમય છે, તે સ્વભાવ કર્મોથી આવૃત થતાં પૌદ્ગલિક ભાવોને આધીન થવું તે. વિભ્રમ : વસ્તુ હોય તેનાથી ઊલટસૂલટ, અસ્તવ્યસ્ત જણાય તે, જેમકે ઝાંઝવાના જળમાં જલજ્ઞાન થવું તે. વિમાસણ : વિચારમાં ગૂંથાઈ જવું, ઊંડા વિચારવિશેષ. વિયોગ : જુદા થવું, અલગ પડવું, છૂટા પડવું. વિરતિ ત્યાગ, વસ્તુ ત્યજી દેવી, Jain Education International જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ વસ્તુનો ત્યાગ કરવો, વિરમણ. વિરતિધર ત્યાગી આત્માઓ, દેશથી વિરતિ લેનારા શ્રાવક અને શ્રાવિકા તથા સર્વથા વિરતિ લેનારા સાધુ અને સાધ્વીજી. વિરમણ કરવું ઃ અટકવું, છોડી દેવું, સ્થૂલ પ્રાણાતિપાત, વિરમણ વ્રત એટલે મોટા જીવોની (ત્રસજીવોની) હિંસાથી અટકવાવાળું વ્રત. વિરહકાળ : આંતરું થવું, વસ્તુની પ્રાપ્તિ પછી ફરી પ્રાપ્તિ ન થાય ત્યાં સુધીનો કાળ, જેમ કોઈ જીવ મોક્ષે ગયા પછી બીજો કોઈ જીવ મોક્ષે ન જાય તેવો વધુમાં વધુ કાળ છ માસ તે વિરહકાળ. :: વિરહવેદના : એક વસ્તુનો વિયોગ થયા પછી તેના વિયોગથી થતો શોક તથા થતું દુ:ખ, જેમ કે પતિ-પત્નીને વિયોગથી થતું દુઃખ. વિરાધના થવી : પાપ લાગવું, ભગવાનની આજ્ઞાવિરુદ્ધ કાર્ય કરવું, આશાતના કરવી, હિંસા-જૂઠ આદિ પાપકાર્યો કરવાં વિલય થવો ઃ નાશ થવો, વિધ્વંસ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy