________________
ભક્તિનાં પદ
૭૩
૧૪૬
[ રાગ : ધન્યાશી] ] તારા ગુણ સ્વામી ! મુને કિમ વીસરે, હરિ ગુણ લખ્યા મારા રદયા રે માટે ભવસાગરમાં બુડતા રે તાર્યા, યમપુર જાતલાં નિવાર્યા માહારે વાલે રે. ગુણવંત ગુણ સ્વામી તાહાર કેટલા રે લેખું, પ્રાણજીવન વિના રાતદિન નિ પેખું રે. ગુણવંત ! ગુણચા સ્વામી છે રે ભંડાર, નરસૌયાચા સ્વામી મહારા દેહના આધાર.
૧૪૭ તું તે હરિ ભજ, વહેલે રે વહેલે તારી કાયાના પડતા પહેલે. તે તે હરિ ના ભજે રે ઘડી, તારા મુખડામેં ધુળ પડી. તું તે હરી ભજી લેને અંધા, વિસારી મેલી ઘરધંધા. મીઠી ખાંડ સું લાગી રે માયા, લેભે લૂંટાશે લાડકવાયા.
જ્યારે જમરાજા જેર કરશે, રામચંદ્ર સાથે કામ પડશે. તુને કહાડે કહાડો સઉ કરશે, આગ દેતા રાધી સઉ રહેશે. શેક ચાર દીવસ પાળશે, પછી ઘરનો ઘધે સઉ કરશે. નરસૌઈ મેતે કહે રે ઊગરશે, ભાવે ભક્તિ ભુદરજીની કરશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org