________________
સિદ્ધ પરમાત્મા
---- -------- - - સિદ્ધાણં ના જાપ તથા ધ્યાનથી આવા લૌકિક લાભો થાય છે. અલબત્ત સાધકનું લક્ષ્ય તો સિદ્ધપદ પામવાનું જ હોવું જોઈએ.
“નમો સિદ્ધાણં' પદની સાથે બીજા મંત્રાક્ષરો જોડીને એટલે કે એને પલ્લવયુક્ત કરીને પણ ભિન્નભિન્ન હેતુ માટે જાપ કરાય છે, જેમ કે ૐ નમો સિદ્ધાણં સ્વાહા, ૐ નમો સિદ્ધાણ ઠઃ ઠઃ સ્વાહા, ૐ નમો સિદ્ધાણ
ર્ સ્વાહા ઇત્યાદિ. આવા કેટલાક જાપ લૌકિક કાર્યસિદ્ધિ માટે કરાય છે, પરંતુ સાચા સાધકે તેમાં ન અટવાતાં સ્વસ્વરૂપની પ્રાપ્તિ માટે જાપ કરવા જોઈએ. કર્મરૂપી શત્રના ઘાત માટે જાપ કરવા જોઈએ કે જેથી આત્મસ્વરૂપની ઉપલબ્ધિ ત્વરિત થાય.
નવપદજીમાં, સિદ્ધચક્રમાં સિદ્ધ પરમાત્માનો રંગ બાલ સૂર્ય જેવો લાલ બતાવવામાં આવ્યો છે અને તે રંગની એમની આકૃતિનું ધ્યાન ધરવાનું ફરમાવવામાં આવ્યું છે. પંચ પરમેષ્ઠીમાં અરિહંતનો શ્વેત, સિદ્ધનો લાલ, આચાર્યનો પીળો, ઉપાધ્યાયનો લીલો અને સાધુનો કાળો એમ રંગો બતાવવામાં આવ્યા છે. વસ્તુતઃ પંચપરમેષ્ઠીઓનો પોતાનો આવો કોઈ રંગ હોતો નથી, પરંતુ શાસ્ત્રકાર મહર્ષિઓએ પંચપરમેષ્ઠીના ધ્યાન અને આરાધના માટે આ પ્રતીકરૂપ રંગોની સહેતુક સંકલના કરી છે અને તે યથાર્થ તથા રહસ્યપૂર્ણ છે. સિદ્ધ પરમાત્માએ આઠે કમને બાળીને ભસ્મ કરી નાખ્યાં છે એટલે કર્મરૂપી ઇંધનને બાળનાર અગ્નિના પ્રતીકરૂપે તેમનો રંગ લાલ રાખવામાં આવ્યો છે. સિદ્ધ પરમાત્માએ પોતાના આત્માને તપાવીને, સર્વ કર્મનો ક્ષય કર્યો. તપાવેલું રક્તવર્ણી સોનું જેમ મલીનતા વિનાનું સાવ શુદ્ધ થઈ જાય છે, તેમ સિદ્ધ પરમાત્માના વિશુદ્ધ આત્માનું ધ્યાન તપાવેલા સુવર્ણ જેવા રક્ત રંગથી કરવાનું હોય છે. જેમ સંપૂર્ણ નિરામય માણસનું ૨ક્ત લાલ રંગનું હોય છે, તેમ કર્મના કોઈ પણ પ્રકારના રોગથી રહિત સિદ્ધ પરમાત્માનું ધ્યાન રક્તવર્ણથી કરવાનું હોય છે. મંત્રશાસ્ત્રમાં રક્ત વર્ણ વશીકરણ-આકર્ષણના હેતુ માટે મનાય છે. સિદ્ધાત્માઓ મુક્તિરૂપી વધૂનું આકર્ષણ કરનારા છે, તેથી તથા જગતના સર્વ જીવોને પોતાના તરફ આકર્ષી રહ્યા છે, તેથી તેમનું ધ્યાન રક્તવર્ણથી કરવાનું હોય છે. બધા રંગોમાં લાલ રંગ સૌભાગ્યનો મનાય છે, શુકનવંતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org