________________
૨૨––––
_જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ સહજાત્મ સ્વરૂપ આનંદાવસ્થા એટલે અરિહંત અને સિદ્ધની અવસ્થા. એ સાધકનું સાધ્ય છે, ધ્યેય છે, સાધ્યની અવસ્થા છે, સાધ્યનું સ્વરૂપ છે, જ્યારે આચાર્ય-ઉપાધ્યાય-સાધુપદ એ સાધ્યના લક્ષ્ય સાધકની સાધકાવસ્થા છે. સાધ્યના સ્વરૂપને, સાધનામાં ઉતારી, તે મુજબ જીવવું તે જ સાધકની સાધના છે. માટે જ જેટલું નિર્વિકલ્પદશામાં અર્થાત્ સ્વભાવદશામાં જીવી શકાય તેટલું નિશ્ચયથી સાધુપણું છે. બાહ્ય ચારિત્રપાલનનો આ જ મહત્ત્વનો ભેદ ભવિ અને અભવિ વચ્ચે છે.
પંચપરમેષ્ઠિનું સ્વરૂપ એ પ્રત્યેક જીવનું સ્વ-સ્વરૂપ છે એટલે કે સ્વગુણપર્યાય છે. જ્યારે પંચપરમેષ્ઠી વ્યક્તિ એ સજાતિય પર દ્રવ્ય છે. પંચપરમેષ્ઠિનો શબ્દાર્થ એ જ જગતમાં સત્યજીવન છે. વિરોધી પદાર્થના સંયોગનો નાશ કરવો અથવા પુદ્ગલથી સર્વથા જુદા પડવું તેનું જ નામ
અરિહંત' અને ફરી પાછા પુદ્ગલસંગી (દેહરૂપી પગલાવરણને ન ધારણ કરવા) ન બનવું તેનું નામ “સિદ્ધ'. સિદ્ધ જ સાચા દિગંબર છે કેમ કે એમને દેહાંબર પણ નથી. અર્થાતુ અદેહી છે.
અંતિમ સિદ્ધિને કાર્યસિદ્ધિ કહેવાય. સિદ્ધ પરમાત્માને સિદ્ધ એટલા માટે કહેલ છે કે ત્યાં આત્યંતિક એવી અંતિમ સિદ્ધિ છે, જે થયા પછી કાંઈ થવાપણું, કરવાપણું, કે બનવાપણું આગળ રહેતું જ નથી. સિદ્ધાવસ્થામાં જતન (જાળવણી-સાચવણી-રક્ષણ), પતન (વિકૃતિ-અવનતિ) કે ઉત્થાન (સંસ્કૃતિ-ઉત્કર્ષ-ઉન્નતિ) હોતા નથી. જતનમાં પરાધીનતા છે; વિકૃતિમાંપતનમાં મલીનતા છે. અને સંસ્કૃતિના ઉત્થાનમાં ઊણપ-અભાવ-અપૂર્ણતા છે. આમાંનું સિદ્ધને કશુંય હોતું નથી.
“અરિહંત' અને “સિદ્ધ' પદ સાથે આપણું સ્વરૂપ-ઐક્ય છે. તેમજ જાતિ-ઐક્ય છે. જાતિથી અરિહંત, સિદ્ધ અને આપણે સહુ જીવ જાતિનાચૈતન્ય જાતિના છીએ. પુદ્ગલ જડ જાતિનું છે. તેમ આપણે ચૈતન્ય જાતિના છીએ. વળી સ્વરૂપથી આપણે પરમાત્મ રૂપી છીએ. અરિહંત અને સિદ્ધ અવસ્થાને પામેલ વ્યક્તિનું પરમાત્મસ્વરૂપ પ્રગટે છે. ત્યારે આપણું પરમાત્મા સ્વરૂપ સત્તામાં છે પણ વેદનામાં નથી, જે આપણે આવરણ હઠાવી, કર્મનાં પડળો દૂર કરી પ્રગટાવવાનું છે. અનુભવમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org