SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરૂપ મંત્ર પં. પનાલાલ જગજીવનદાસ ગાંધી આત્મામાં અહંકાર અને આસક્તિ એ બે મોટા દોષ છે. બીજાના ગુણ જોવાથી અને પોતાના દોષ તપાસવાથી અહંકાર અને આસક્તિ દૂર થાય છે. નમસ્કાર એ બીજાના ગુણ ગ્રહણ કરવાની અને પોતાની અંદર રહેલા દોષો દૂર કરવાની ક્રિયા છે. નમસ્કારથી સબુદ્ધિનો વિકાસ થાય છે અને સબુદ્ધિના વિકાસથી સદ્ગતિ હસ્તકમલવત્ બને છે. જેટલો અહંકાર એટલું સત્યનું પાલન ઓછું અને જેટલું સત્યનું પાલન ઓછું એટલી અનેક દોષમાં દૃઢતા વધુ. અર્થાત્ કામ, ક્રોધ, લોભનું બળ વધારે. નમસ્કારથી વાણીની કઠોરતા અને બુદ્ધિની દુષ્ટતા નાશ પામે છે એટલું જ નહિ પણ મનની કોમળતા-નમ્રતા, ઉદારતા અને સજ્જનતાના ગુણ વિકસિત થાય છે. મનનું બળ મંત્રથી વિકસે છે. ‘મન' એટલે વિચારવું અને ‘ત્ર’ એટલે રક્ષણ કરવું. મનસ્ત્ર = મંત્ર. આમ મંત્ર શબ્દનો અર્થ વિચારનું રક્ષણ થાય છે. વિચારનું રક્ષણ કરવું એટલે વિચારને—વિકલ્પને શિવસંકલ્પરૂપ બનાવવા અથવા શુભ સાત્ત્વિક ભાવસ્વરૂપ બનાવવા. મંત્રોમાં સૌથી શ્રેષ્ઠ મંત્ર ‘નમસ્કાર મહામંત્ર' છે, કેમ કે તે જીવ માત્રના સત્ય, સાધ્ય અને સાધક સ્વરૂપને કહેનારો, સમજાવનારો, જાગ્રત કરનારો તેમજ સત્યસ્વરૂપમાં લાવનારો, મનને તે મય બનાવનારો મંત્ર છે, માટે જ તેને ‘પરમ ઇષ્ટ મંત્ર’ યા તો ‘સ્વરૂપ મંત્ર’ કહ્યો છે. નમસ્કારરૂપી વજ્ર, અહંકારરૂપી પર્વતનો નાશ કરે છે. નમસ્કાર માનવીના મનોમય કોષને શુદ્ધ કરે છે. અહંકારનું સ્થાન મસ્તક છે. મનોમય કોષ શુદ્ધ થવાથી અહંકાર આપોઆપ વિલય પામે છે. નમસ્કારમાં શુભકર્મ, ઉપાસના અને જ્ઞાન એ ત્રણે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગનો સુભગ સુમેળ છે. કહો કે ત્રિવેણી સંગમ છે. શુભકર્મનું Jain Education-International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014004
Book TitleJain Sahitya Samaroha Guchha 4
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages155
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy