SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ આર જૈન સાહિત્ય સમારોહ બીજે દીપક પ્રગટે તે રીતે આપણે જ્ઞાનરૂપી દીપકને સતત પ્રજવલિત રાખી આપણું કલ્યાણ સાધવાનું છે. શ્રી ઉપેન્દ્રભાઈ વોરાનું સન્માન : શ્રી આરક્ષિતસરિજી જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠમાં વર્ષો સુધી આપનારા સંસ્કૃતના વિદ્વાન અધ્યાપક શ્રી ઉપેન્દ્રરાય નાનાલાલ વિરાનું આ પ્રસંગે રૂ. ૧૧૦૧/-ની થેલી, ચાંદીનું શ્રીફળ, પ્રશસ્તી પત્ર, શાલ અને સુખડની માળા દ્વારા શ્રી નવીનચંદ્ર શાસ્ત્રીના વરદ હસ્તે બહુમાન કરાયું હતું. પ્રથમ બેઠક : રવિવાર તા. ૨૦મી માર્ચ ૧૯૯૪ના રોજ બપોરના ત્રણ વાગે ઉપાશ્રય ખંડમાં ડા, રમણલાલ ચી. શાહના અધ્યક્ષસ્થાને બારમા જૈન સાહિત્ય સમારોહની પહેલી બેઠકનો પ્રારંભ થયો હતો. આ બેઠકમાં નીચેના વિદ્વાનોએ પિતાના અભ્યાસલેખે રજૂ કર્યા હતા. જ્ઞાનયોગને મહિમા : પૂ. સાધ્વી શ્રી મોક્ષગુણાશ્રીજીએ આ વિષય પર વક્તવ્ય આપતાં જણુવ્યું હતું કે પરમપદને પામવા માટે આપણું શાસ્ત્રમાં ત્રણ પેગ બતાવ્યા છે તે છે જ્ઞાનયોગ, તપયોગ અને ભક્તિગ. આ ત્રણે પગમાંથી જ્ઞાનયોગને જૈનધર્મમાં ભારે મહિમા છે. જ્ઞાનગિથી અનંત કમની નિર્જરા થઈ શકે. જ્ઞાનમાં કઠિન જરૂર છે પણ અશક્ય નથી. મરજીવા જેમ મેતી લેવા સમુદ્રમાં ઊંડે ઉતરતા જાય તેમ છવાત્મા આત્મચિંતનમાં ઊંડે ઉતરતો જાય તેમ તેને જ્ઞાનયોગની પ્રાપ્તિ સહજ થાય. લિજજા-શ્રાવક જીવનની લક્ષ્મણરેખા : પ્રા. મલુકચંદ ૨, શાહે આ વિષય પર બેસતાં કહ્યું હતું કે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં માર્ગનુસારી શ્રાવક For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy