________________
ગુજરાતી જૈન પત્રકારત્વ–એક અભ્યાસ
સત આપવા માટે જૈન સાપ્તાહિકનું શેઢા સમય સુધી દૈનિકમાં રૂપાંતર કરવામાં આવ્યું અને સાપ્તાહિકમાંથી દૈનિક બનેલા જૈનપત્રે આ પ્રશ્નને જૈન સમાજને જાગૃત કરવા માટે પ્રમુખ ભૂમિકા નિભાવી. આ ધટના જૈન પત્રકારત્વના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાઈ ચૂકી છે.
૨૦૦
વમાન સમયે સંપ્રદાયની જેમ સચાલનની દૃષ્ટિએ પણ જૈન પત્રકારત્વ આ પ્રમાણે ચાર વિભાગમાં વિભક્ત છે : (૧) વ્યક્તિગત માલિકીનાં પત્ર, (ર) સંસ્થાનાં મુખપત્ર, (૩) જ્ઞાતિપત્ર અને (૪) અપ્રચ્છન્ન પણું સાધુપ્રેરિત કે સ`ચાલિત પત્રો. વ્યક્તિગત જૈનપત્રો શરૂ કરવાનું સર્વપ્રથમ સાહસ સ્થાનકવાસી સંપ્રદાયના વિદ્વાન શ્રી મેાતીલાલ મનસુખરામને ફાળે જાય છે. તેમણે અમદાવાદમાંથી સન ૧૮૯૮માં ‘જૈનહતેચ્છુ' માસિકની શરૂઆત કરી સન ૧૮૫૯માં અમદાવાદ થી પ્રગટ થયેલ જૈદીપક' સર્વ પ્રથમ સંસ્થાનું મુખપત્ર હાવાનુ સૌભાગ્ય પ્રાપ્ત કર્યુ.. કચ્છી દશા ઓસવાળ જ્ઞાતિએ સન ૧૯૨૧માં મુંબઈથી ‘જ્ઞાતિપત્રિકા' કાઢીને જ્ઞાતિપત્રોનું માંગલાચરણ કર્યું' અને યેાગનિષ્ઠ શ્રોમદ્ બુદ્ધિસાગરસૂરિજીની પ્રેરણાથી સન ૧૯૦૯માં અમ દાવાદથી ‘બુદ્ધિપ્રભા' નામનું માસિક પત્ર પ્રગટ થયું. સાધુ પ્રેરિત અને સંચાલિત આ સર્વ પ્રથમ ગુજરાતી જૈનપત્ર હતું.
જૈન પત્રોએ લાકકેળવણીનું પણ કા" કર્યું છે. સમાજઉત્કર્ષ અને સમાજ-અભ્યુદય અર્થે આ પત્રોએ પેાતાની નિભી ક કલમ ચલાવી છે. બાળલગ્ન, કન્યાવિક્રય જેવાં દૂષણા અટકાવવામાં અને સ્ત્રી કેળવણીની ઝુંબેશમાં આ પત્રોએ મહત્ત્વના ભાગ ભજયે છે. ધાર્મિક, સામાજિક અને રાજનીતિનાં ક્ષેત્રે કાને જગાડવાનું નોંધપાત્ર કાય જૈન પત્રોએ કર્યુ છે.
આપણી ધાર્મિ ક લાગણી હંમેશાં આળી રહી છે. જૈન સમાજ પણ આવી માળી લાગણીથી આજે બંધાયેલા છે. મેટા ભાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org