________________
ગુજરાતી જન પત્રકારત્વ–એક અભ્યાસ
ચીમનલાલ એમ. શાહ, “કલાધર''
ખૂબ જ ઝડપથી વિકસી રહેલા આ યુગમાં પત્રકારત્વનું વિશિષ્ટ મહત્વ છે, તેને કોઈ ઈનકાર કરી શકે તેમ નથી. ભારતમાં પત્રકારત્વને પ્રારંભ થયાને બે સૈકા જેટલો દીર્ધ સમય વીતી ગયો છે. ભારતના પ્રારંભિક પત્રકારત્વથી લઈને વર્તમાન પત્રકારત્વ સુધીની વિકાસયાત્રાને અને ખો ઇતિહાસ છે. એકવીસમી સદી તરફ જઈ રહેલા આ વિશ્વમાં વિજ્ઞાનની અવનવી શોધોથી અને મુદ્રણકાર્યમાં આવેલી અભૂતપૂર્વ ક્રાંતિથી આજનું પત્રકાર જગત ઘણી બધી રીતે વિશિષ્ટ, વિરલ અને વિસ્મયજનક બની રહ્યું છે.
પત્રકાર જગતને વિશ્વમાં ચોથી જાગીર ગણવામાં આવે છે. પત્રકારત્વ એ તે રોજની ચાલતી પાર્લામેન્ટ છે. મહાત્મા ગાંધી પત્રકારત્વને જનતાના વિશ્વ વિદ્યાલય તરીકે ઓળખાવે છે. અંગ્રેજ ચિંતક કાર્બાઈલ પત્રકારોને વિશ્વના શાસકે કહે છે. નેપોલિયનના મતે પત્રકાર એક હજાર બંદૂકોથી પણ વધારે ભયાનક છે. પંડિત જવાહરલાલ નહેરુના મતે વ્યાપક ધમમાં અખબારોની સ્વતંત્રતા માત્ર એક આંદોલન જ નહિ, પરંતુ જનતાંત્રિક પ્રક્રિયાની એક આવયક વિશેષતા છે. અમેરિકાના એક વખતના રાષ્ટ્રપ્રમુખ જેટર્સન કહે છે કે તેમને જે સમાચારપત્ર વિહિન શાસન વ્યવસ્થા અને શાસનવિહિન સમાચાર પત્રવાળા સમાજમાંથી પસંદગી કરવાનું કહેવામાં આવે તો નિઃશંક સમાચાર પત્રવાળી વ્યવસ્થાને જ પસંદ કરે. સન ૧૮૭૬ની રછ સપ્ટેમ્બરે ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ લખ્યું હતું કે
આધનિક પત્રકાર સેટપીટ કે સેન્ટલના દેવળના શ્રેતા કરતાં એક ગણાં વધારે પ્રવચન આપી શકશે. જે લોકોને એ કહે છે
Jain Education International
For Private & Personal Use Only For Private
www.jainelibrary.org